________________
પ્રથમ ડાબા હાથમાં પકડેલો = દાબેલો ખૂણો જમણા હાથમાં આવે અને બીજું પાસું દષ્ટિ સન્મુખ થઈ જાય, ત્યારબાદ તે દષ્ટિ સન્મુખ થયેલા બીજા પાસાને પણ પહેલા પાસાની જેમ દષ્ટિથી તપાસવું. એ પ્રમાણે મુહપત્તિનાં બે પાસાં દષ્ટિથી તપાસવાં તે “દષ્ટિપડિલેહણા' જાણવી. તે વખતે મનમાં બોલવું કે....અર્થ, તત્ત્વ કરી સદહું ચિત્ર નં-૨ સૂત્ર તથા અર્થ ઉભયને તત્ત્વરૂપ એટલે સત્ય સ્વરૂપ સમજું છું અને તેની પ્રતીતિ કરી, તેના પર શ્રદ્ધા કરું છું. આ વખતે મુહપત્તિની બીજા બાજુની પ્રતિલેખનાથાયછે. (એટલે કે મુહપત્તિની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.) ૩) દ-ઉર્ધ્વ-પષ્કોડા ( પુરિમ) પડિલેહણ વિધિ
૩- બીજા પાસાની દષ્ટિ પડિલેહણા કરીને તે ઉર્ધ્વ એટલે તીર્થો વિસ્તારેલી એવી મુહપત્તિનો પ્રથમ ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો, તે પહેલા ત્રણ ઉર્ધ્વ પફોડા (પુરિમ)' કહેવાય. મનમાં બોલવું કે...૨- સમ્યકત્વ મોહનીય, ૩- મિશ્ર મોહનીય, ૪મિથ્યાત્વમોહનીય પરિહરું. ચિત્ર નં-૩ ૪) ત્યારબાદ (દષ્ટિ પડિલહેણમાં કહ્યા પ્રમાણે) મુહપત્તિનું બીજું પાસું બદલીને અને દષ્ટિથી તપાસીને જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરવો અથવા નચાવવો તે બીજા “ત્રણ ઊર્ધ્વપફોડા (પુરિમ) કહેવાય, તે વખતે મનમાં બોલવું કે...પ- કામરાગ, ૬- સ્નેહરાગ, ૭- દ્રષ્ટિરાગ પરિહરું. ચિત્ર નં-૪ (ત્રણે પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે. એટલે મુહપત્તિને અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.) આ પ્રમાણે પહેલા ત્રણ અને બીજા ત્રણ એમ કુલ મળીને છ ઊર્ધ્વપફોડા (પુરિમ=પ્રસ્ફોટક) કહેવાય. ૫) મુહપત્તિનો મધ્યભાગ ડાબા હાથ પર નાંખી, વચલી ઘડી પકડી બેવડી કરો. (અહીંથી મુહપત્તિને સંકેલવાનું શરૂ થાય છે.) ચિત્ર નં-૫