________________
૨૬s
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગ્નના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્થ ઊસસિએણે, નીસિએણે,
ખાસિએણં, છીએણં,
જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમહિ અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહમેહિ દિક્ટ્રિ સંચાલેહિં. ()
એવભાઈ એહિં આગારેહિં, અભગ્ગો,
અવિરાહિઓ, હુક્ક મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫)
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ - ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ - બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) ૧૦- સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧- ઘૂંક-કફનો સંચાર, ૧૨ -દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડેન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
અનાદિકાળથી જે કાયા પોતાની નથી, તેને પોતાની માનવાનો જે દેહાધ્યાસ (મિથ્થામાન્યતા) કર્યો છે. તેનો ત્યાગ કરવાનો છે. કાયા હું નથી, પરંતુ કાયાને પ્રવતવનાર આત્મા એ હું છું. કાયા સંબંધી આ “હું' પણાના ભાવને આ પ્રતિજ્ઞા દ્વારા ત્યાગવાનો છે. કાયોત્સર્ગના યથાર્થ ઉપયોગથી ઈન્દ્રિયો, કષાયો, રાગદ્વેષ તથા મનને જીતી શકાય છે, સમત્વ સાધી શકાય છે પરિણામે આત્માનો સાક્ષાત્કાર કરી પરમસિદ્ધિને પામી શકાય છે.