________________
૨૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથીને? (ગુરુ કહે- “એવું’=એમ જ છે) (૫) (શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે “અહમપિ ખામેમિ તુમ - હું પણ તને ખમાવું છું.) (૬) આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું. હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (કફૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, તે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
છઠું આવશ્યક – પચ્ચક્ખાણ (જો પૂર્વે પચ્ચખાણ ન કર્યું હોય તો અત્યારે પચ્ચકખાણ કરી લેવું.)
િ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!
- સામાયિક, ચઉવિસત્થો, વિંદણ, પડિક્કમણું, કાઉસ્સગ્ન. પચ્ચકખાણ કર્યું છે જી. હે ભગવન્! સામાયિક, ચલબ્ધિસત્યો, વાંદણા, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી.
જે પાપો આલોચના -પ્રાયશ્ચિતથી અને પ્રતિક્રમણ - પ્રાયશ્ચિતથી શુદ્ધ ન થયા હોય, તેની શુદ્ધિ હવે કાઉસ્સગ્ગથી કરવાની છે. કાઉસ્સગ્ગ પણ ગુરૂવંદન પૂર્વક જ થાય તેથી ગુરૂ મહારાજને વંદનરૂપ બે વાંદણા દેવાય છે. અહીં, બીજા વાંદણાને અંતે કષાયભાવથી આત્માએ બહાર નીકળી જવાના ખ્યાલપૂર્વક અવગ્રહની બહાર નીકળી જવાનું છે.