________________
૧૪૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચોરેલી વસ્તુ લીધી હોય, ૨-ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, ૩-મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, ૪- દાણચોરી વગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યું હોય અને ૫- ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં સંવત્સરી સંબંધી સર્વેને હું પડિક્કામું છું. (૧૩,૧૪)
(મથુનના અતિચાર) ચઉત્યે અણુવયમિ, નિર્ચો પર દાર ગમણ વિરઇઓ,
આયરિયમ પ્રસન્થ, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૫) અપરિગ્દહિઆ ઈત્તર, અણંગ વિવાહ તિવ્ર અણુરાગે, ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. (૧૬)
ચોથા અણુવ્રતમાં સદા (હિંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧-અપરિગૃહીતાગમન=કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવા વિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે ૨- ઇવર- પરિગૃહિતાગમન=અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા પ્રમુખ સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા) ૩- અનંગ ક્રીડા= પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે ૪- પરવિવાહકરણ= પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ કરવા તે અને ૫) કામભોગ-તીવ્ર-અભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા (અણુ) વ્રતના અતિચારો છે. (તમાં) સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર) ઈત્તો અણુવ્રએ પંચમમ્મિ, આયરિયમ ખસત્યમિ, પરિમાણ પરિચ્છેએ, ઈત્ય પમાય પ્રસંગેણં. (૧૦)