________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૩૧
ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે,
સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જંકિંચિ મર્ઝા વિણયપરિહાણે સહુમ વા બાયર વા તુર્ભે જાણહ
અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડ.
હે ભગવન્! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, પ્રત્યેક/વ્યક્તિગતને દિવસના અપરાધ ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે) આજ્ઞા પ્રમાણ છે, સંવત્સરી દિવસના અપરાધને ખમાવું છું. બારે માસ, ચોવીસ પક્ષ, ત્રણસો સાઠ રાઈ-દેવસિઅ પ્રતિક્રમણમાં આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવૃત્યમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉંચું આસન રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરૂની ઉપરવટ થઈને બોલવામાં, અને ગુરૂવચન ઉપર ટીકા ટીપ્પણ કરવામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મારા વડે સુક્ષ્મ કે સ્થળ, થોડું કે વધારે જે કાંઈ વિનય રહિત વર્તન થયું હોય, તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.
“અભુદ્ધિઓમિ' સૂત્ર વડે શિષ્ય, ગુરુ પ્રત્યે થયેલ નાના-મોટા અપરાધોને ખમાવે છે. તથા ગુરુ પણ સામેથી તેને ખમાવે છે. એટલે આ સૂત્રખામણા-ક્ષમાપના-સૂત્ર કહેવાય છે.
ખમવું એટલે સહનશીલતા રાખવી, ઉદારતા રાખવી, ખામોશી રાખવી કે વૈર લેવાની વૃત્તિનો ત્યાગ કરવો. એટલે સામાની પાસેથી ક્ષમાની અપેક્ષા રાખવી, ઉદારતાની માગણી કરવી તથા સામાવાળો વૈરનો ત્યાગ કરે એવી કલુષિત લાગણીનો-વૈરનો ત્યાગ કરે તેવી ભાવના રાખવી, એવા વિચારોનો ત્યાગ કરવો. આ પ્રક્રિયાને ખમાવવાની પ્રક્રિયા કહેવાય છે. અભ્યત્યિ શબ્દ માત્ર ઈચ્છા કે માત્ર અભિલાષાનો વ્યપોહ કરીને ક્રિયા કરવાની તત્પરતા બતાવે છે. અહીં ગુરુ પાસેથી ક્ષમા માગવાની માત્ર ઈચ્છા જ નથી પણ તત્પરતા છે. તે દર્શાવવા માટે એ યોજાયેલો છે. અથવા અમ્યુત્યિત શબ્દ આદરપૂર્વક ઊભા થવાનો-ખડા રહેવાનો ભાવ સૂચવે છે અને તે અર્થ પણ અહીં સંગત છે, કારણકે ગુરુની ક્ષમા દબાણવશ કે બાહ્યોપચારથી માગવાની નથી પણ તેમના પ્રત્યે સંપૂર્ણ આદરભાવથી માગવાનીછે.