________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૧૫
વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધર્મિક સાથે કલહ-કર્મ-બંધ કીધો. અધોતી, અષ્ટપડ મુખકોશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કળશ તણો ઠબકો લાગ્યો. બિંબ હાથ થકી પાડ્યું, ઉસાસ નિઃસાસ લાગ્યો. દેહરે, ઉપાશ્રયે, મલ-શ્લેષ્માદિક લોહ્યું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં. પાન સોપારી, નિવેદીયાં ખાધાં. ઠવણાયરિય હાથ થકી પાડ્યાં, પડિલેહવા વિસાય. જિનભવને ચોરાશી આશાતના, ગુરૂ ગુરૂણી પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન “તહત્તિ” કરી પડિવન્યું નહીં. દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ (૨)
ચારિત્રાચારે આઠ અતિચારપણિહાણ જોગ જુત્તો, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તહિં,
એસ ચરિત્તાયારો, અટ્ટવિહો હોઈ નાયવ્વો (૩)
ઈર્યાસમિતિ તે અણજોયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન બોલ્યા. એષણાસમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્ત નિકુખેવણા સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું, લીધું. પારિષ્ઠાપનિકા-સમિતિ તે મલ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ = મનમાં આર્ત-રૌદ્ર ધ્યાન ધ્યાયાં. વચન-ગુપ્તિ = સાવદ્ય-વચન બોલ્યાં, કાયગુપ્તિ = શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજે બેઠા. એ અષ્ટ પ્રવચનમાતા સાધુતણે ધર્મે સદૈવ અને શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે, રૂડી પેરે પાળ્યાં નહીં, ખંડણા વિરાધનાહઈ. ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિતું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ (૩)