SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૮૫ રસનો અનુભવ કરી શકે, તેવા જીવરૂપ) બેઈન્દ્રિય જીવો –(શંખ, કોડી, અળસીયા વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ, રસ અને ગંધનું સંવેદન ક૨વા સમર્થ એવા જીવરૂપ) તેઈન્દ્રય જીવો –(કીડી, મંકોડા, છાણના કીડા, ધનેરા, કંથુઆ, ઇયળ વગેરે), બે લાખ પ્રકારના (ફક્ત સ્પર્શ, રસ, ગંધ અને રૂપનું જ સંવેદન કરવા સમર્થ એવા જીવરૂપ) ચઉરિંદ્રિય જીવો, - (વીંછી, ભમરો, તીડ, માખી, ડાંસ, મચ્છર વગેરે), ચાર લાખ પ્રકારના દેવતાઓ –(વૈમાનિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવતાઓ), ચાર લાખ પ્રકારના નારકીઓ, ચાર લાખ પ્રકારના (સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને વાચારૂપ પાંચેય – ઈન્દ્રિયનું સંવેદન કરવા સમર્થ પશુઓ રૂપ) તિર્યંચ પંચેન્દ્રિય જીવો (સર્પ, પંખી, માછલી, હાથી, ઘોડા, કુતરા વગેરે), ચૌદ લાખપ્રકારના મનુષ્યો એ પ્રમાણે ૭+૭+૭+૭+૧૦+૧૪+૨+૨ +૨+૪+૪+૪+૧૪=૮૪ લાખપ્રકારની જીવોની યોનિ (ઉત્પત્તિ સ્થાન) હોય છે.તેમાંથી મારા જીવે (થી) જે કોઈ જીવને હણ્યો હોય, બીજા પાસે હણાવ્યો હોય અને હણનારની અનુમોદના (પ્રશંસા-તારીફ) કરી હોય, તે સર્વ પ્રકારના (કરણ-કરાવણ-અનુમોદનરૂપ) ખરેખર મન, વચન અને કાયાથી પાપ કર્યું હોય તો તે મારું પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ). ૮૪ લાખ ‘જીવાયોનિ’માં ઉત્પન્ન થતા વિશ્વના સમસ્ત જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવો ઘટે, છતાં કોઈ પણ કારણસર તેમાંના કોઈપણ જીવની કોઈપણ પ્રકારે હિંસા કરી હોય, કરાવી હોય કે તે પ્રત્યે અનુમતિ દાખવી હોય તો તે માટે મિથ્યા દુષ્કૃત દેવું એ આ સમગ્ર સૂત્રનો સાર છે. અઢાર પાપ સ્થાનક (હાથ જોડીને) સઘળાંય પાપસ્થાનકોની ગુરૂ સમક્ષ નિવેદના કરી મિથ્યા દુષ્કૃત કહેવું. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ,
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy