SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિજન્ય દૂધ- સ્વાથ્ય માટે નસ્પતિજન્ટા દુધ- વાટી માટે ભારત દેશમાં દૂધનો વપરાશ કરવાની પરંપરા ઇસવીસનના ૨૦૦૦ વર્ષ પૂર્વેથી ચાલી રહી છે. આપણા રોજબરોજ ના રાંધવા સાથે દૂધ ઘણું જ સંકળાયેલ છે તેમ જ ઉત્સવોમાં અને ભગવાનના પ્રસાદ તરીકે મંદિરોમાં પણ વપરાય છે. મહાભારત, રામાયણ અને બીજા પવિત્ર ગ્રંથોમાં પણ દૂધ અને દૂધની વસ્તુઓને લગતી ઘણી માહિતી છે. ઈતિહાસની વાત જો જવા દઈએ તો પણ, આપણા રોજબરોજના જીવનમાં આપણે પ્રાણીજન્ય દૂધ અને એના પદાર્થો જેવા કે દહીં, છાશ અને ચિઝ ખાવાને ટેવાયેલા છીએ. nina છેલ્લાં દસેક વર્ષથી ભારતમાં ૧૦૦ % ટકા શુદ્ધ શાકાહારી (એટલે કે વિગન અથવા તો સાચ્ચો શાકાહારી) બનવાની નવી પદ્ધતિ શરુ થઇ છે. અને છેલ્લાં ૪ થી ૫ વર્ષમાં તે વધુ મજબૂતાઈથી આગળ વધી રહી છે. આપણા શાકાહારી ભારતીયોના આહારમાં પ્રાણીજન્ય દૂધને ન લેવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. પણ, આજના સંદર્ભમાં પ્રાણીજન્ય દૂધની ગુણવત્તાનું પ્રમાણ ઘણું નીચું ગયું છે અને સાથે સાથે સ્વાથ્યનું પણ. પ્રાણીજન્ય દૂધને છોડવાનો વિચાર જરૂરથી કરો અને વનસ્પતિજન્ય આહાર અપનાવો. વનસ્પતિજન્ય આહાર પર જવાના ફાયદા: સ્વાથ્યવર્ધક જીવન જીવવાના રસ્તે સંશોધનથી સાબિત થયું છે કે વનસ્પતિજન્ય આહારથી જીવનશૈલીને લગતા રોગો જેવા કે: ડાયાબીટીસ, જાડા પણું, બ્લડ પ્રેશર, • હૃદય રોગ, અસ્થમાં, • ઊંચું કોલેસ્ટેરોલ અને • સંધિવા વગેરે સારા થાય છે. એટલા માટે જ જયારે આપણે એમ નક્કી કરીએ કે આપણા આહાર અને જીવનશૈલીમાં એક મોટો બદલાવ લાવવો છે s circleOhealth
SR No.007735
Book TitleDudh Vanaspatijanya
Original Sutra AuthorN/A
AuthorRupa Shah
PublisherCircle Health
Publication Year2015
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy