________________
xxvii
૧૨ કૃતિકર્મ દ્વાદશાવર્ત વંદન કરતી વખતે ‘અહો-કાર્ય-કાય' રૂપ ત્રણ અને ‘જત્તા ભે જણિ, જજં ચ ભે’ રૂપ બીજા ત્રણ એક વખતના વંદનમાં બોલતાં ગુરૂ-ચરણે હાથનાં તળાં લગાડી પછી તે પોતાના લલાટે સ્પર્શનારૂપ કરાય ત્યારે આવર્ત થાય છે. એટલે બે વારના બાર આવર્ત્ત. ચિત્રનં-૩,૪,૫
૪ શિરોનમન ‘કાયસંફાસ' કહેતાં સ્વ મસ્તક ગુરૂ ચરણે નમાવવું તે એક શિરોનમન અને ‘ખામેમિ ખમાસમણો ! દેવસિયં વઈક્કમં' બોલતી વખતે ફરી સ્વ મસ્તક નમાવવું તે બીજું શિરોનમન. બે વારનાં મળીને ચા૨ વા૨ શિરોનમન થાય છે. ચિત્ર નં-૬
૩.ગુપ્તિ : મન, વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવારૂપ ત્રણ ગુપ્તિ જાણવી.
૨ ‘પ્રવેશ’ ‘અણુજાણહ મેમિઉગ્ગહં’ કહીપ્રથમ વખત વંદન કરતાં ગુરૂની અનુજ્ઞા લઈને અવગ્રહમાં પ્રવેશ કરવો, તે પહેલો પ્રવેશ અને અવગ્રહમાંથી નીકળી ગયા પછીફરીવાર અવગ્રહમાંપ્રવેશ કરવો તેબીજોપ્રવેશ.
૧ ‘નિષ્ક્રમણ’ : અવગ્રહમાંથી ‘આવસિઆએ' પદ બોલીને બહાર નીકળવું, તે નિષ્ક્રમણ, બીજી વારની વંદનામાં આ પદ બોલવામાં આવતું નથી, એટલે નિષ્ક્રમણ એક જ વાર થાય છે.
‘ગુરૂવંદન’ માં “ઇચ્છા (નિવેદન); અનુજ્ઞાપન, અવ્યાબાધ (પૃચ્છા), યાત્રા(પૃચ્છા), યાપના (પૃચ્છા) અનેઅપરાધ-ક્ષમાપના”એ છ સ્થાન હોય છે.
૧.ઇચ્છા-નિવેદન-સ્થાન
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ નિસીહિઆએ- હે ક્ષમાશ્રમણ ! આપને હુંનિર્વિકાર અનેનિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છુંછું. આ પદોથી વંદન કરવાની ઇચ્છાનું નિવેદન થાય છે તેથી તે ‘ઇચ્છા નિવેદન-સ્થાન’ કહેવાય છે.
શિષ્યે ઇચ્છાનું નિવેદન કર્યા પછી ગુરૂ જો કામમાં હોય તો ‘ત્રિવિધેન’ એવા શબ્દો કહે છે અને આજ્ઞા આપવી હોય તો ‘છંદેણું’- ‘તમારી ઇચ્છા હોય તે પ્રમાણે કરો’ એમ કહેછે.