SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ xxvi સુગુરૂ વંદન વિવેચન ગુરૂને વંદન કરતી વખતે આ સૂત્ર બોલાય છે, તેથી તેનું નામ ‘ગુરૂવંદન સૂત્ર’ પડેલું છે. " ગુરૂ-વંદનાના ત્રણ પ્રકારો છે. “૧- ફિટ્ટા-વંદન, ૨- થોભ-વંદન અને ૩- દ્વાદશાવર્ત્ત વંદન. ” તેમાં છેલ્લા ‘દ્વાદશાવર્ત્ત વંદન’ -પ્રસંગે આ સૂત્ર બોલવામાં આવે છે. ગુરૂ-ચરણની સ્થાપનાને સ્પર્શ કરી નિજ-લલાટે સ્પર્શ કરવો, તે ‘આવર્ત્ત કહેવાય. તેવા છ આવર્તો એક વંદનમાં આવે છે. એટલે બે વાર વંદન કરતાં બાર આવર્તો ‘દ્વાદશાવર્ત્ત’ વંદન થાય છે. ‘ગુરૂ-વંદન’નો ખાસ અર્થ શાસ્ત્રકારોએ નીચે મુજબ કરેલો છે : - ‘વંદન’ એટલે વંદન યોગ્ય ધર્માચાર્યોને ૨૫ આવશ્યકોથી વિશુદ્ધ અને ૩૨ દોષોથી રહિત કરવામાં આવેલો નમસ્કાર. તેમાં ૨૫ આવશ્યકની ગણતરી તેઓ આ રીતે કરાવે છે. “બે અવનત, યથાજાત મુદ્રા, દ્વાદશાવર્ત અને કૃતિકર્મ, ચાર શિરોનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્ક્રમણ. ” બે વખતના વંદનમાં આ ક્રિયાઓ નીચે મુજબ થાય છે – ૨ ‘અવનત' : ઇચ્છામિ ખમાસમણો !... નિસીહિઆએ બોલતી વખતે પોતાનું અર્ધું શરીર નમાવી દેવામાં આવે છે, તે પ્રથમ અર્ધાવન-બે વારના વંદનમાં બે અર્થાવનમ્ થાય છે.ચિત્ર નં-૧ ૧ ‘યથાજાત-મુદ્રા’ : જન્મતી વખતે જેવી મુદ્રા હોય અથવા દીક્ષા યોગ આદરતી વખતે જેવી મુદ્રા ધારણ કરવામાં આવે છે, તેવી નમ્ર મુદ્રા (બે હાથ જોડી લલાટે લગાડવા રૂપ) વંદન કરતી વખતે ધારણ કરવી તે યથાજાત મુદ્રા કહેવાય છે. અને તેવી જ મુદ્રા આ વંદન પ્રસંગે કરવામાં આવે છે. તેમાં ચરવળો અને મુહપત્તી હાથમાં રાખી, બે હાથ જોડી અધોભાગ સિવાય ખુલ્લા શરીરે મસ્તક નમાવીને ઊભા રહેવાનું હોય છે. (ખમાસમણની પહેલી સ્થિતિ)
SR No.007718
Book TitleSamvatsari Pratikramana
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2014
Total Pages279
LanguageEnglish
ClassificationBook_English
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy