SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ‘નિશીથ સૂત્ર' ઉદ્દેશક-૧૧માં રાત્રિભોજનનું અને તેની પ્રશંસા-અનુમોદન કરવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત કહ્યું છે. (૧૧) ‘દશાશ્રુતસ્કંધસૂત્ર'માં શ્રાવકની અગિયાર પ્રતિમાનું નિરૂપણ છે. તે વર્ણનાનુસાર શ્રાવકોને ચાર પ્રતિમા સુધી રાત્રિભોજન ત્યાગ સ્વૈચ્છિક હોય છે. પરંતુ પાંચમીથી અગિયારમી પ્રતિમાની આરાધનામાં રાત્રિભોજન ત્યાગ આવશ્યક હોય છે. અન્ય ગ્રંથોમાં વર્ણન કાર્તિકેયાનુપ્રેક્ષા-૩૮૩ માં રાત્રિભોજન ત્યાગની તુલના છ મહીનાના ઉપવાસ સાથે કરી છે. મહાભારતનાં ‘શાંતિ પર્વ'માં નરકમાં જવાના ચાર કારણ કહ્યા છે. (૧) પ્રથમ કારણ રાત્રિભોજન છે. અન્ય ત્રણ - (૨) પરસ્ત્રી ગમન, (૩) આચારઅથાણા ખાવા, (૪) કંદમૂળ ભક્ષણ. વેદવ્યાસનાં ‘યોગશાસ્ત્ર’ અધ્યાય-૩ માં ‘રાત્રિમાં ખાનારો મનુષ્ય બિલાડી, ગીધ, ડુક્કર, સર્પ, વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે.’ (૪) ‘મનુસ્મૃતિ’માં રાત્રિ રાક્ષસી હોય છે. તેથી રાત્રિનાં સમયે શ્રાદ્ધ કરવું નહી. (૫) ‘યોગશાસ્ત્ર’ અધ્યાય-૩ : નિત્ય રાત્રિભોજનનો ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું તેમજ તીર્થયાત્રાનું ફળ મળે છે. આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન અને ભોજન રાત્રિમાં કરાતા નથી. કીડી, પતંગિયા આદિ અનેક જીવોનું ઘાતક રાત્રિભોજન અતિ નિંદિત છે. (9) માર્કડેય મુનિએ તો રાત્રિમાં પાણી પીવાને લોહી લેવા સમાન અને રાત્રિમાં ખાવાને (૧) (૨) (3) (^) (૮) - ઘુવડ, કાગડો, માંસ ખાવા સમાન કહી દીધું છે. બૌદ્ધ મતનાં ‘માિમ નિાય’ તેમજ ‘લક્કુટિìપમનુત્ત' માં રાત્રિભોજનનો નિષેધ છે. હેમચંદ્રાચાર્યે દિવસમાં અને રાત્રિમાં કાંઈપણ રોકટોક વિના ખાનારાઓને શિંગડા અને પૂંછડા વિનાના પશુ કહ્યા છે.
SR No.007277
Book TitleYogshatak Granth Ek Aadhyayan
Original Sutra AuthorN/A
AuthorJagruti Nalin Gheewala
PublisherAntarrashtriya Jainvidya Adhyayan Kendra
Publication Year2011
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy