SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય અધેગામી અને તિરસ્કરણીય જીવન જીવે છે, કેઈમાન પ્રતિષ્ઠાના પેગામ મંના પાઠ ભણવામાં મશગુલ બન્યાં છે, તો કોઈ જીવન પ્રવાહમાં આવતી ભયંકર વિપત્તિની વાદળીએ પ્રભેદવા બનતા કાવતરાં કરી જીવનની “ ઇતિશ્રી ” માની બેઠા છે, કઈ માનના જીવન જંગલી જાટોની જંજાલમાં ઝકડાયાં છે, તે કઈક ઐહિક તુચ્છ સુખાભાસમાં ગુતાન છે, તે કઈક ન મેળવેલા નવા નવા ભેગ સાધને મેળવવામાં મસ્તાન છે. કેઈક પુણ્યવંત આત્માઓ સંસારની ભયંકરતા, નીરસતા, અને પ્રકૃતિ વિરસતા સમજી ઉદાસીનતા અને વિરકતતાની દશામાં સહજનંદ લૂંટે છે. કેઈક સુગુણ સજજનના સમજવલ ગુણવૃન્દને ધારી અને ઉચ્ચારી સ્વજહુવા તેમજ હૃદય ઉભય પુનિત બનાવી રહ્યા છે, તે કેઈક વ્યક્તિઓ વિવિધ તત્વજ્ઞાનના તાત્ત્વિક વિષયોની વિચારણામાં મનના તીવ્રતા પેરવી રહ્યા છે. આ અખિલ ઉવી પટ ઉપર આવી અનેકધા ઉદ્દામ પ્રવૃત્તિએના પૂર જેરશેરથી વહે છે. કેટલાકેની પ્રવૃત્તિઓ પ્રશસ્ત છે, જ્યારે કેટલાકની પ્રવૃત્તિઓ-સંકલનાએ અપ્રશસ્ત અને પેઢ્ય છે. સહુ કોઈને પ્રવૃત્તિઓનું પરિણામ ઈપ્સિત સુખ જ છે; પરંતુ વાસ્તવમાં સુખ ક્યાં છે. ? સાચું સુખ શાથી સાંપડે છે, સાચા સુખના ઉપાય ક્યાં સંલબ્ધ થાય છે, એના જાણું અને સાધક માત્ર અંગુલિના ટેરવા ઉપર ગણુય તેટલાજ છે. માનનું ભેજું એટલે તવ તતુઓનું ગુંચળું અથવા કલાએને ભંડાર કહીએ તોય ચાલે ! ભેજામાં કુવાતાવરણને કે વિષય વિચારેને ભેજ ઘુસે, તે તે તે તત્ત્વ તંતુઓ અલગી અને અજબ સૃષ્ટિ સજે છે. રંગબેરંગી ક્ષણજીવી પદાર્થોની પ્રીતિ મેળવવાની ઝંખનામાં, તે ભેજ, જીવનની હયાતિને નાશ કરે છે. સુસંસ્કારથી સુંદર અને શાંતિ ભર્યા વાતાવરણથી, આદર્શ અને ઉદ્દામ પુરૂષોની સંગ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy