SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [૪૦૧ વાત્સલ્યો થયા હતા. તેમજ થના દિને સીપેરનિવાસી શા. મણીભાઈ મગનલાલ તરફથી સાધર્મિક વાત્સલ્ય થયું હતું. આ અખિલ મહેત્સવમાં બહાર ગામથી આવેલ સાધમી ભાઈઓની સેવામાં અત્રેના “વિજય લબ્ધિસૂરીશ્વરજી સેવામંડળ”ના સભ્યએ તનતોડ મહેનત કરી હતી. તેમજ ગઢ ઉપર થએલ મહેત્સવની સઘળી વ્યવસ્થા દેખરેખ રાખવામાં પારેખ મણીલાલ ચુનીલાલે તથા ટીંટોઇવાલા ખીમચંદભાઈએ તથા મંગુભાઈનેમચંદ ગાંધી વિગેરે ગૃહસ્થોએ સારે ફાળો આપે હતા. ટુંક સમયમાં દહેરીઓ ગોખલા વિગેરે તૈયાર કરાવી આપવામાં શા હેમચંદભાઈ છગનલાલની મહેનત અપૂર્વ હતી. બસ ચરિત્રનાયકના યથાર્થ અને સ્વાનુભૂત તેમજ અન્યશ્રુત સગુણનું યતકિંચિત વર્ણન અત્રે પૂર્ણ થાય છે. વાંચક મહાશય અદાવધિ ગુણ બગીચાના સુવાસિત વિકસ્વર પુષ્પની સૌરભ તૃપ્તિ પર્યત લઈ ચૂક હશે પરંતુ એ સૌરભ ને કેવલ નિર્મળ ન બનાવતા ચિરંવાસી બનાવજે, પ્રસંગે પ્રસંગે તેની શસ્ત સ્મૃતિઓ હૃદયપટ ઉપર આલેખી છવન માર્ગમાં જાગૃતિ પ્રાપ્ત કરજે, સન્માર્ગની કુચ કરવામાં તેને મદદગાર બનાવજે જેથી જીવન પંથ નિષ્કટક બનશે. જે કે મારા પરિશ્રમને સફળ જ માનું છું, કારણ કે માત્ર કલ્યાણ કામનાથી અને સગુણાનુરાગથી સંસ્તવના કરાય કે આલેખાય તે શુભફળપ્રદ નીવડે છે હાં, જરૂર હર્ષાતિરેકતાની સાથે વિશેષ સફળતા માનવા ત્યારે જ કારણ બને છે કે જ્યારે પ્રિય પાઠકગણું પુસ્તકાલકનથી પિતામાં તે ઉત્તમ ગુણોને વસવાટ કરાવે. સજજનેનું કર્તવ્ય પણ આજ હેઈ શકે બાકી જેઓનું કાવૃત્તિથી દુર્ગુણ પ્રતિ લક્ષ્ય દેરાયું છે, જેમના જીવનનું દુગુણ ગ્રહણ કરવાનું જ ધ્યેય સર્જાયું હોય તેવા દુર્જનેને સદ્દગુણો પણ દેષરૂપ બને એ અસ્વભાવિક નજ મનાય.
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy