SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ [ આત્મતત્ત્વવિચાર આ બન્ને ૪૬૨ અને સ`વિરતિરૂપ ચારિત્ર સાધુને હાય. છે. ચારિત્રના અહી યથાક્રમ પરિચય આપીશું. દેશવિરતિ ચારિત્ર કેવા ગૃહસ્થને હાય છે ? · દેશવિરતિ ચારિત્ર કેવા ગૃહસ્થને હાય છે?’ તે પ્રથમ જણાવીશું. આ જગતમાં ગૃહસ્થા ત્રણ પ્રકારના છે : એક તા અસ'સ્કારી, બીજા સ’સ્કારી અને ત્રીજા ધર્મપરાયણ. જેનાં જીવનમાં કાઈ જાતનું ધ્યેય નથી, જે યચ્છા જીવન જીવે છે અને ગમે તેની સાથે ગમે તે રીતે વર્તે છે, તેને અસસ્કારી સમજવા. આવા ગૃહસ્થા કનિષ્ઠ કોટિના ગણાય. તે પેાતાને મળેલા મહામાંદ્યા માનવભવ અવસ્ય હારી જવાના. આવા અસ`સ્કારી ગૃહસ્થા સસ્કારી અને તે માટે મહાપુરુષાએ માર્ગ બતાવ્યા છે. તેનુ' અનુસરણ કરનારા માર્ગાનુસારી કે સંસ્કારી ગણાય. તેના પાંત્રીશ નિયા -આ પ્રમાણે સમજવા : માર્ગાનુસારીના પાંત્રીશ નિયમા (૧) વૈભવ ન્યાયથી મેળવે. (૨) વિવાહ સમાન કુલ-આચારવાળા પણુ અન્યગાત્રીથી કરવા. છોકરો બહેરી (૩) શિષ્ટાચારની પ્રશંસા કરવી. (૪) છ અંતરશત્રુઓના ત્યાગ કરવા. કામ, ક્રોધ, લાલ, માન, મદ અને હુ એ છ અંતરના શત્રુ છે. (૫) દ્રિયાને કાબૂમાં રાખવી. h - (૬) ઉપદ્રવવાળાં સ્થાનના ત્યાગ કરવા. અહી ઉપ સમ્યક્ ચારિત્ર ] *ફ્સ દ્રવથી શત્રુની ચડાઈ, મળવા જાગવા, રોગચાળો ફાટી નીકળવા, દુકાળ પડવા, અતિવૃષ્ટિ થવી વગેરે ઉપદ્રવકારી ઘટનાએ સમજવી. (૭) સારા પડેાશવાળાં અતિ પ્રકટ પણ નહિ અને અતિ ગુપ્ત પણ નહિ, એવા ઘણાં દ્વારા વિનાનાં ઘરમાં રહેવુ. સારા પાડાશમાં રહેતાં જીવન પર સારી અસર થાય છે અને ખરાબ પાડેાશમાં રહેતાં જીવન પર ખરાખ અસર થાય છે. અતિ પ્રકટ એટલે રાજમાર્ગ ઉપર. ત્યાં ચારી વગેરેના ભય વિશેષ રહે છે. અને અતિ ગુપ્ત એટલે ગલીકુચીમાં. ત્યાં રહેતાં ગૃહની શેાભા રહેતી નથી. માટે એવાં સ્થાને રહેવાના નિષેધ કર્યાં છે. ઘણાં દ્વારવાળાં ઘરમાં રહેતાં ધન અને કુલસ્ત્રીઓની રક્ષા થઈ શકતી નથી. (૮) પાપથી ડરતાં રહેવું. (૯) પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. (૧૦) કાઈ ના અવર્ણવાદ ખાલવેા નહિ અર્થાત્ કાઇની નિંદા કરવી નહિ. રાજા વગેરેના ખાસ કરીને અવણું વાદ લવા નહિ, કારણ કે તેથી સનાશ થવાના પ્રસ’ગ આવે છે. (૧૧) ખર્ચ આવક પ્રમાણે રાખવા. (૧૨) પાશાક વૈભવ પ્રમાણે રાખવે. (૧૩) માતાપિતાની સેવા કરવી. (૧૪) સંગ સદાચારી પુરુષાના કરવા. (૧૫) કરેલા ઉપકારને જાણવા. કાઈ એ નાના સરખે ઉપકાર કર્યો હોય તે પણ ભૂલવા નહિ
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy