________________
२७२
આત્મતત્વવિચાર
કે તે ઠંડો પડી ગયે પૂર્વનાં પ્રબળ સંસ્કારો શું નથી કરતા? તેને સાધ્વી પર રાગ થયો અને તે પિતાની સૂંઢ ઊંચી-નીચી કરી એ રાગ પ્રદર્શિત કરવા લાગ્યા.
સુનંદા સાધવીએ કહ્યું: “હજી રાગથી ધરાયે નથી ? મારાં નિમિત્ત તું છ છ ભવમાં મરણ પામ્યો, માટે હવે સમજ અને એ રાગને તારા હદયમાંથી દૂર કર.” તે જ વખતે હાથી તદ્દન શાંત બની ગયા અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાનનાં બળે તેણે પિતાના પૂર્વભવે જોયા અને તે પ્રતિબંધ પામ્યા.
આ જોઈ લોકોના આશ્ચર્યને પાર રહ્યો નહિ. તેઓ સાવીનાં સરવને વખાણવા લાગ્યા, પછી ચાવીનાં વચનથી તે ગામને રાજા એ હાથીને પિતાની હસ્તીશાળામાં લઈ ગયા. ત્યાં એ હાથી છને પારણે છઠ્ઠ કરવા લાગ્યો. તેણે બાકીનાં સમસ્ત જીવનપર્યત તપ કર્યું અને એ તપના પ્રભાવે મરીને આઠમા દેવલેકે દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને જ્ઞાની મુનિવરોના કહ્યા પ્રમાણે તે મનુષ્યને ભવ પામી મેક્ષમાં જશે.”
વિષયવાસનાનું આ પરિણામ જાણુ સુજ્ઞજનેએ તેનાથી દૂર રહેવું અને ધર્મનું આરાધન કરી પોતાના જીવનને સફળ બનાવવું, એ મહર્ષિઓને ઉપદેશ છે અને અમારું કહેવું પણ એ જ છે.
આત્માની શક્તિ વિશે હજી વિશેષ કહેવાનું છે, તે અવસરે કહેવાશે.