________________
કહાન રત્ન સરિતા આત્મપદનો અનુભવ કરીએ અને એ ભાવનાથી બાહ્ય નિવૃત્તિ લઈને શાસ્ત્ર સ્વાધ્યાય આદિની પ્રવૃત્તિ, સમજવાની પ્રવૃત્તિ, સત્ સમાગમમાં રહેવાની પ્રવૃત્તિ કરીએ છીએ. પણ અનુભવ થતો નથી એનું શું કરવું ? (તો કહે છે કે, રાગાદિ પરિણામ ક્ષણે ક્ષણે જે તે કાળે ઉત્પન્ન થાય છે . ‘તેવો . તેટલો હું એવો એને અનુભવ થયા કરે છે. પર ભાવમાં વિશેષ - તીવ્ર એકાગ્રતા થાય તો તે પરભાવનાં વિષયભૂત પાંચ ઇન્દ્રિયનાં વિષયો છે તેનો મને અનુભવ થાય છે . એમ પણ એ અનુભવે છે. સ્પર્શેન્દ્રિયનો વિષય (લઈએ). મને ઠંડીનો અનુભવ થાય છે, ગરમીનો અનુભવ થાય છે, (રસના ઇન્દ્રિયમાં) ખારું, ખાટું, તીખું, ગળ્યું એવા સ્વાદનો અનુભવ થાય છે. (ઘાણેન્દ્રિયમાં) સુગંધ-દુર્ગધનો અનુભવ થાય છે. એમ એને પર પદાર્થનો પણ અનુભવ થાય છે. એ પરમાં તીવ્ર એકત્વ બુદ્ધિ થતાં રાગ અને રાગના વિષયને પણ એ સ્વપણે અનુભવે છે. રાગને તો અનુભવે છે પણ રાગના વિષયને પણ એ સ્વપણે અનુભવે છે અને જ્યાં સુધી એવો વિપરીત અનુભવનો પ્રકાર મટે નહિ ત્યાં સુધી એને શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ થાય નહિ. આ પરિસ્થિતિ છે. આ એનું કારણ છે.
“અનંત ગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને ?' આમાં એક વાત શું છે? કે દીનતાના - વિભાવના પરિણામમાં
હ્યાં રહ્યાં પણ એક જાગૃતિનો પ્રકાર આવે. સમજણથી એમ સમજ્યો છે કે આ વિભાવ - વિકાર દુઃખમય છે, વર્તમાન દુઃખમય છે, ભવિષ્યમાં પણ એ દુઃખનું જ નિમિત્ત થાય એવા કર્મને બંધન પામવાનું એ નિમિત્ત છે. વર્તમાનભાવ પણ નવા કર્મ બાંધવાનું નિમિત્ત છે. તેથી ભવિષ્યમાં પણ દુઃખનું જ નિમિત્ત છે. એટલે કે આ આત્માને એ નુકસાનનું કારણ છે. ત્યારે સમજણ એક એવી સ્થિતિ છે કે નુકસાનથી બચવા માટે જીવને પ્રેરણા કરે છે, પ્રેરે
જો સમજણના કાળમાં ગંભીરતાથી સમજણ કરી હોય, લાભ-નુકસાનની ગંભીરતા સમજાઈ હોય તો એને વર્તમાન ચાલતાં વિભાવ પરિણામમાં જાગૃતિ
વ્યા વિના રહે નહિ. આ જાગૃતિ છે એ જ મુમુક્ષુતાનું લક્ષણ છે. મુમુક્ષુમંડળમાં લવાજમ ભરે તે મુમુક્ષુતાનું લક્ષણ તો નથી, પણ ખરેખર તો પૂજા, ભક્તિ ને સ્વાધ્યાય કરે તે પણ મુમુક્ષુતાનું લક્ષણ નથી ! અંદરમાં