________________
લેવામાં આવ્યાં છે. જેથી કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો નીકળી જાય.
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન અર્થે પ્રાપ્ત દાનરાશિનું સાભાર વિવરણ અન્યત્ર આપવામાં આવેલ છે. ઑડિયો કેસેટ ઉપરથી પ્રવચનોને ઉતારી આપવા બદલ શ્રી કનુભાઈ શાહ, અમદાવાદ તથા કુ. નીતાબહેન શાહ, ભાવનગરનો આભાર માનવામાં આવે છે. તથા અન્ય મુમુક્ષુઓએ આ પ્રકાશન કાર્યમાં સહકાર આપ્યો છે તેમનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે “પૂજા ઇપ્રેશન્સ નો તથા સુંદર મુદ્રણ કાર્ય કરી આપવા બદલ “ભગવતી ઓફસેટ’ નો આભાર માનવામાં આવે છે.
વીતરાગ સત્ સાહિત્ય પ્રકાશનના કાર્યમાં મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારની ક્ષતિ રહી જવા પામી હોય તો શુદ્ધ અંતઃકરણ પૂર્વક વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્રની ક્ષમા યાચીએ છીએ. તથાપિ પાઠકવર્ગને વિનંતી કરવામાં આવે છે કે કોઈ ક્ષતિ દૃષ્ટિગોચર થાય તો અવશ્ય જાણ કરે. જેથી ભવિષ્યમાં તે પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય.
અંતતઃ આ ગ્રંથના સ્વાધ્યાયથી સર્વ જીવો મુક્તિના પંથને પામી શાશ્વત સુખ-શાંતિને પ્રાપ્ત થાઓ એ જ ભાવના.
તા. ૧૯-૧૧-૨૦૦૨
ટ્રસ્ટીગણ (કારતક સુદ-૧૫,
વિતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ શ્રીમદ્ રાજચંદ્ર જન્મજયંતી દિન)