SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ "निजशुद्धात्मरुचिरुपनिश्चयसम्यक्त्वसाधकेन मूढत्यादि पंचविंशतिमलरहितेनतत्त्वार्थश्रद्धानलक्षणेन दर्शनेन शुद्धा दर्शनशुद्धाः पुरुषाः।" - આચાર્ય અમ્રિતાચંદ્ર તાત્પર્યવૃત્તિ ટીકા, ગાથા ૮૨.૧૦૪.૧૮ - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશક: દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) નિજ શુદ્ધ આત્મસ્વરૂપનો રુચિરૂપ નિશ્ચય સમ્યગુદર્શનનો સાધક જે તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ દર્શન છે, તેની ત્રણ મૂઢતાઓ આદિ ૨૫ દોષોથી રહિત-શુદ્ધ દર્શનથી યુક્ત પુરુષ દર્શનશુદ્ધ કહેવાય છે. આ પ્રકારે સમ્યગદર્શનની વિશુદ્ધિનાં સ્વરૂપ સમજીને સાધકે પોતાની શુદ્ધિ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ. શ્વેતાંબર પરંપરામાં વિશુદ્ધિનો માર્ગ ઉત્તરાધ્યયન સૂત્ર ૩/૧૨ માં કહ્યું છે કે “થો યુદ્ધ વિઠ્ઠ" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૩.૧૨ (પાનું ૭૭, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) ધર્મ શુદ્ધ આત્મામાં જ ટકી શકે છે એટલે ધર્મ શુદ્ધ રાખવા માટે સમ્યગ્રદર્શનને પણ શુદ્ધ રાખવું જરૂરી છે. સમ્યગદર્શનને શુદ્ધ રાખવા માટે ઉત્તરાધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે, “વર્ષથ્વીતત્થgum વંસ વિર્દિ ની ” ઉત્તરાધ્યયનસૂત્ર ૨૯/૯ - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૯.૯ (પાનું ૧૭૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) ચોવીસ તીર્થકરોની સ્તુતિ-સ્તવ (ચતુર્વિશતિસ્તવ) બોલવાથી જીવ દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અરિહંતદેવના પ્રતિ શ્રદ્ધા ત્યારે જ સુદઢ અને શુદ્ધ થઈ શકે છે જ્યારે વ્યક્તિ અનન્યભક્તિભાવથી, અન્ય હેતુ વગર, નિષ્કામ, નિસ્વાર્થ ભાવથી ફક્ત આત્મશુદ્ધિની દષ્ટિથી સ્તુતિ કે સ્તવન કરે, ૨૮૬ સમકિત
SR No.007192
Book TitleSamkit Shraddha Kriya Moksh
Original Sutra AuthorN/A
Author
PublisherHindi Granth Karyalay
Publication Year2015
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy