SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ રાજય ભાગ-૧૩ પાત્રજીવને એટલી રુચિ, એટલી પ્રીતિ થાય છે કે જેને લઈને આત્મપ્રાપ્તિ સુલભ થાય છે. એવા ...પાનું-૪૧૯, પત્ર-પર૨. વચ્ચે છે. “સત્પષ મળે આ સત્યરુષ છે એટલું જાણી, સત્યરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે;સપુરુષની ઓળખાણ થયા પછી જીવ વૈરાગ્યમાં આવે છે. “અથવા સત્પરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી;” ત્યાં સાવ સુલભ કીધું. અહીંયાં કાંઈ દુર્લભ નથી એમ કહે છે. અસ્તિ-નાસ્તિથી એક જ વાત કરે છે. “સત્યુઝષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ.” પણ ક્યારે ? કે તે “સપુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. એને આત્મહિતનો વિચારનો ઉદય થયો નથી. અને સત્પરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.” ખરેખર તો એને પુરુષનો યોગ થયો છે એવું એને ભાસ્યું નથી. એટલે જ એનું દુર્લક્ષ વર્તે છે. નહિતર તો એમના વચનને વિષે, એમના વચનને આશયને વિષે અત્યંત પ્રીતિ, ભક્તિ થયા વિના રહે નહિ. અને જો થાય તો એને આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. મુમુક્ષુ:- ... પૂજ્ય ભાઈશ્રી :- કાંઈક ખ્યાલમાં તો વાત આવવી જોઈએ. જો વાત ખ્યાલમાં જ ન હોય તો તથારૂપ કોઈ પ્રયાસ ન થાય, પ્રયત્ન જ ન થાય. શું કામ કરવું છે એ ખબર ન હોય તો કેવી રીતે કામ થાય? શ્રી ડુંગરને પ્રણામ.' ૬૪૨ (પત્ર પૂરો થયો). પત્રક-૬૪૩ મુંબઈ, આસો સુદ ૧૩, ૧૯૫૧ શ્રી સ્તંભતીર્થવાસી તથા નિબપુરીવાસી મુમુક્ષુજનો પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. કઈ પૂછવા યોગ્ય લાગતું હોય તો પૂછશો. કરવા વેંગ્ય કંઈ કહ્યું હોય તે વિસ્મરણ યોગ્ય ન હોય એટલો ઉપયોગ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy