SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ રાજહૃદય ભાગ-૧૩ કારણે, કોઈ વિચારે, અવલંબને સમ્યગ્દષ્ટિસ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મપ્રત્યયી ફળ નથી, પરમાર્થથી તેની સેવા-અસેવાથી જીવને કંઈ જાતિ ( ) ભેદ થતો નથી.’ પછી એ સર્વશની ગમે તેટલી સેવા કરે કે સેવા ન કરે, બધું એને માટે સરખું છે. માટે તે કંઈ સફળ કારણરૂપે જ્ઞાનીપુરુષે સ્વીકારી નથી, એમ જણાય છે.’ આ જરા મહત્વનો વિષય છે. સર્વજ્ઞને પણ સમ્યગ્દષ્ટિપણે ઓળખ્યા તેં ? સર્વજ્ઞ હોય ત્યારે પણ. અને સમ્યગ્દષ્ટિના પ્રગટ સ્વરૂપથી તેં સર્વજ્ઞને ઓળખ્યા ? તો આત્મપ્રત્યયી કાંઈ ફળ છે. કહેવાનો આશય એ છે કે સમ્યક્ત્વથી માંડીને સર્વજ્ઞપણા સુધીમાં જે સામાન્ય મુદ્દો છે એ સમ્યક્ત્વનો છે. સમ્યક્ત્વ સામાન્ય છે, સમ્યગ્દર્શન સામાન્ય છે. અહીંથી આ માર્ગ શરૂ થાય છે અને અહીંથી આ માર્ગની ઓળખાણ થવી જોઈએ. તો સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે જાણ્યાનું ફળ છે. નહિતર સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે જાણ્યાનું, સેવા કરવાનું કોઈ ફળ નથી. આત્માને એ ફળ નથી આવતું. આત્મલાભમાં કોઈ ફળ નહિ આવે. આ ૫૦૪ પત્રમાં બહુ ગંભીર વાત કરી છે. :– આ રીતે ન જાણે તો મુમુક્ષુ પૂજ્ય ભાઈશ્રી :– એનું અનુસંધાન અહીંયાં મળે છે કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને. વીરમાં તો તારે શું જોવાનું હતું ? સમ્યક્ત્વ જોવાનું હતું, સમ્યગ્દર્શન જોવાનું હતું. એ તો અહીંયાં વિદ્યમાન છે. એને ભૂલી જઈને ભૂતકાળની ભ્રમણામાં વી૨ને શોધવા માટે આથડે છે. ભગવાન વીરના શાસ્ત્રો કેવા છે ? એની અંદર શું શું વાત કરી છે ? કેવી કેવી વાત કરી છે ? એ જીવોને મહાવી૨’નું દર્શન ક્યાંથી થવાનું હતું ? એને કોઈ રીતે ભગવાન મહાવી૨’ના દર્શન થવાના નથી. મહાવીર... મહાવીર’ કરીને ભલેને ગમે તેટલી ધૂન મચાવે. મુમુક્ષુ ઃવર્તમાન વિદ્યમાન વીર એટલે પોતાનો શુદ્ધ સ્વભાવ.... પૂજ્ય ભાઈશ્રી :– ત્યાં તો એમણે પોતા માટે લખ્યું છે. કા૨ણ કે વર્તમાન વી૨ને ભૂલી જઈને ભૂતકાળની ભ્રમણામાં વી૨ને શોધવા માટે (કયાં આથડો છો) ? પોતાનો આત્મા લઈને એમણે પોતાના માટે કેમ લખ્યું છે કે નીચે એમ લખે છે કે અમે અમૃતસાગર છીએ. તમે અમારા શરણે આવો. અમે અમૃતસાગર છીએ, અમે તમારા માટે કલ્પવૃક્ષ છીએ, અને પરમશાંતિના ધામરૂપ છીએ. કેમકે અમે ૫૨માત્મસ્વરૂપ થયા છીએ. એ બધી વાત નીચે લખી છે. એ પોતા ઉપર વાત લીધી છે, પોતા ઉપર લખી છે. ...
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy