SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ પત્રાંક-૬ ૭૯ હશે. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મચ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરવરણશાન” કહેવા યોગ્ય છે. સમ્યકજ્ઞાનની આ વ્યાખ્યા કરી છે. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે.” દેહ તે હું, શરીર તે હું એવો જે અનુભવ છે એ જૂઠો અનુભવ છે, ખોટો અનુભવ છે, મિથ્યા અનુભવ છે. એને દેહાધ્યાસ કહેવામાં આવે છે. શરીરનું વજન ઘટે તો મારું વજન ઘટયું, શરીરનું વજન વધે તો મારું વજન વધ્યું. હલકાપણું, ભારેપણું એ સ્પર્શગુણની પર્યાય છે. જીવમાં તો સ્પર્શ નામનો ગુણ જ નહિ હોવાથી જીવને વજન નથી. ભૌતિકવિજ્ઞાનમાં વજનનો વિષય આવે છે. એ ભૌતિકવિજ્ઞાનના સાધનોથી વૈજ્ઞાનિકોએ તપાસ્યું તો એમને એ માલુમ પડ્યું છે કે શરીરમાંથી જીવ હોય ને ન હોય તોપણ શરીરના વજનમાં કોઈ ફરક પડતો નથી. અથવા ફરક પડે છે તો કોઈવાર વધે છે તો કોઈ વાર ઘટે છે. માટે જીવ વજનવાળો છે એવી વાત આમાં સાબિત થતી નથી. એવા પ્રયોગો કર્યા છે. કોઈ એક પશુ-પક્ષીને વેક્યુમ Vacuum glass વાસણની અંદર મૂકી દે. અથવા વાસણની અંદર મૂકીને Vacuum કરી નાખે. હવા ખેંચી લે. વાસણ આખું કાટા ઉપર હોય-Balance ઉપર હોય. હવા બંધ થવાથી પ્રાણી તો જીવતું રહી શકે નહિ. જ્યારે એમ જોવે કે હવે આમાં કાંઈ છે નહિ. તો વજનમાં શું ફરક પડ્યો? કાંટો શું બોલે છે ? એનું કોઈ કારણ હજી સુધી કાઢી શક્યા નથી. કેમકે સ્પર્શ નામનો ગુણ નથી. જે ભૌતિકપદાર્થ નથી એને ભૌતિક દૃષ્ટિકોણથી અને ભૌતિકગુણો દ્વારા એને વિચારવામાં આવે, માપવામાં આવે કે સમજવામાં આવે તો એ રીતે એ પદાર્થને સમજી શકાતો નથી. એ સ્પષ્ટ છે. અહીંયાં તો એમ કહેવું છે કે હું શરીરરૂપે છું, હું નાનો છું, હું મોટો છું, હું ઊંચો છું, નીચો છું, જાડો છું, પાતળો છું, કુરૂપ છું કે સુરૂપ છું એવો બધો અનુભવ તે દેહાધ્યાસરૂપ મિથ્યા અનુભવ છે. જીવને ખરેખર એવું હુંપણું કરવું તે જ્ઞાનને આવરણ કરવાનું કામ છે. એમાંથી જ્ઞાન અપરાય છે. દેવસ્વરૂપે પોતે નહિ હોવા છતાં દેહસ્વરૂપે પોતાનો અનુભવ કરવો તે આત્માના જ્ઞાનને આવરણ લાવવાનું કાર્ય છે. એનાથી આત્માને આવરણ આવશે, બીજું કાંઈ નહિ થાય. અથવા આત્મગુણ-આત્માનો જ્ઞાનગુણ વિકાસ પામવાને બદલે, નિર્મળતા પ્રાપ્ત કરવાને
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy