SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૭૪ ૨૫૭ અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી,...' એવું અંતરાત્મપણું એ લોકોનો - બાહ્યદૃષ્ટિવાન જીવોનો વિષય નથી. એ સંબંધીમાં એ વિષયની અંદર બાહ્યદૃષ્ટિ જીવોને કાંઈ ખબર પડે એવું નથી. એ વિષયથી અજાણ્યા છે એમ કહેવું છે. અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી....' એવી એમને અનુભવમાં વાત આવી નથી. જગતવાસી જીવોને માત્ર બહિષ્ટિ છે અને આત્મામાં શાનદશા અને વીતરાગદશા કેવી થાય એ પ્રકારનો અનુભવ એમને દિ થયો નથી. એટલે એ વાત એમના અનુભવ બહા૨ની વાત છે. તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જ્ગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી...' એ જ્ઞાનદશાનું અને વીતરાગદશાનું અનુમાન કરી શકે એવી યોગ્યતા નથી અથવા જ્ઞાનમાં એવા પ્રકારના સંસ્કાર લઈને આવ્યા નથી. અહીંયાં એ પ્રશ્ન એટલા માટે લીધો છે કે, કોઈ જીવો એવા હોય છે કે તદ્દન નવા વિષયોમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં એણે એ વિષયનો અનુભવ ન લીધો હોય, પણ કોઈ પૂર્વ સંસ્કા૨ના કારણે નવા જ વિષયની અંદર પારંગત થઈ જાય. જે તે વિષયમાં એકદમ નિપુણ થઈ જાય. અને એ વિષય એણે પૂર્વે કયારેય પણ એની Practice કરી હોય, એનો અભ્યાસ કર્યો હોય એવું ન બને. પણ કોઈ પૂર્વ સંસ્કારને કા૨ણે એવો ઉઘાડ થઈ જાય. તો કહે છે, જગતવાસી જીવોને એવા પૂર્વ સંસ્કાર પણ નથી કે જ્ઞાનદશાને કે વીતરાગદશાને એ ઓળખી શકે. તેમ વર્તમાન યોગ્યતા નથી. એ જાતની વર્તમાન યોગ્યતા પણ નથી. એ નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી.’ આ કારણથી ઓળખી શકતા નથી. જુઓ ! પહેલું પડખું એ લીધું છે. ઓળખવાની લાયકાત છે કે નહિ એ પહેલી વાત લીધી છે. એ જાતનો અનુભવ નથી, એવું અનુમાન કરવાની યોગ્યતા નથી, એવું કોઈ પૂર્વથી જ્ઞાન લઈને પણ જીવો આવ્યા નથી કે જ્ઞાનીને કે વીતરાગને ઓળખે. ‘કોઈક જીવ...’ તો પછી હવે કોણ ઓળખે છે ? ઓળખે છે તો કોણ જીવ ઓળખે છે ? કે કોઈક જીવ સત્સમાગમના યોગથી....' સત્સમાગમમાં જ્ઞાનદશા, વીતરાગદશા એની ચર્ચા, પરિચર્ચા એ વિષયને સમજવાનો પ્રકાર સત્સમાગમની અંદર વિચારવામાં આવે છે, સમજવામાં આવે છે. એટલે ‘કોઈક જીવ સત્યમાગમના યોગથી, સહજ શુભકર્મના ઉદયથી... એ પ્રકારનો એનો શુભકર્મનો એટલે ખરેખર તો એને આત્માની ઉન્નતિનો ક્રમ છે અહીંયાં. શુભકર્મનો એટલે અહીંયાં કર્મપ્રકૃતિનો ઉદય નથી લેવો. પણ યોગાનુયોગ થાય તો
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy