SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ રાજહૃદય ભાગ-૧૩ પણ પાછું પરિણામની અંદર સંકોચ ન થાય કે ક્લેશ ન થાય કે વિકલ્પ ન થાય. એટલો ઉત્સાહ હોય. દ્રવ્યલિંગી હોય તો એને આહારદાન દેવું. ત્યાં પોતે ખુલાસો આપ્યો. મુનિરાજ આવતા હોય, અઠ્યાવીશ મૂળગુણ ચોખા હોય એટલે ઇર્યાસમિતિથી ચાલતા હોય. એ બધું પાછું એની ગમન-આગમનની બધી સ્થિતિ દેખાય આવે. એટલે એને આહારદાન આપવું. પછી જો એનો ઉપદેશ લેવો હોય તો એમની પરીક્ષા કરવી. કે ભાવલિંગી છે કે નહિ ? દ્રવ્યલિંગી હોય તો ન લેવી. કેમકે ગૃહસ્થ સમ્યગ્દષ્ટિ હોય, કોઈ પંચમ ગુણસ્થાનવ હોય. તો એ દ્રવ્યલિંગીનો ઉપદેશ ગ્રહણ ન કરે, અથવા એનો સંગ ન કરે, સત્સંગ ન કરે. સત્સંગ એ સમ્યગ્દષ્ટિનો કરે અથવા ભાવલિંગી મુનિનો કરે. એ પરીક્ષા કરવાની એમની યોગ્યતા હોય છે પાછી. એવી પરીક્ષા કરવાની એમની યોગ્યતા હોય છે. ત્યાં સુધી એ ત્રીજા અધિકારમાં પ્રવચનસારની અંદર એમણે વિષય સ્પષ્ટ કર્યો છે. મુમુક્ષુ - અનુભવ થયા પછી પરીક્ષા લઈ શકે ને ? પૂજ્ય ભાઈશ્રી :- ખુદ અનુભવે નહિ, એ તો થોડા પરિચયે પણ કરી લે. એક-બે પ્રશ્ન પૂછે ત્યાં ખબર પડી જાય. વિષય એવો છે કે જેને અંતરમાં ભેદજ્ઞાન વર્તે છે, ભેદજ્ઞાન કરવાની કળા–Technique છે એ જેને સાધ્ય છે. એ સામો જીવ ભેદજ્ઞાન કરે છે કે નથી કરતો ? એ પ્રશ્ન પૂછે ત્યાં સમજાય જાય. અંતરમાં સૂક્ષ્મ રાગના કણથી પણ કેવી રીતે ભિન્ન પડવું એ એક અંતરંગ અનુભવનો વિષય છે. અને એ અનુભવમાં આવ્યા હોય એ એ વિષયને પકડી લે છે કે આ ભેદજ્ઞાન કરી શકે છે કે નથી કરતા. તરત ખબર પડી જાય. શુદ્ધોપયોગનો વિષય હોય એની પણ એને ખબર પડી જાય. કે શુદ્ધોપયોગમાં કેવી રીતે આવે છે. અને જે મુનિદશાની ભાવના ભાવતા હોય એને તો મુનિદશાનું આખું ચિત્ર હોય છે એની પાસે. ગુરુદેવ “બહેનશ્રીના વચનામૃતમાં મુનિદશાના વિષયો ક્યાંથી આવ્યા ? અત્યારે તો કોઈએ મુનિ જોયા નથી. આખું ચિત્ર હોય છે કે આવા મુનિ હોય છે. તો એ પ્રત્યક્ષ મુનિ આવે એટલે પરખી જ લે, ઓળખી જ લે. એને ખબર ન પડે એવું બને જ નહિ. એ એના પગમાં પડી જાય છે. અને જો ન હોય તો આહારદાન દીધો એનો કોઈ એને દોષ નથી. એનો કોઈ એને દોષ નથી. કેમકે એના બહારનો વ્યવહાર ચોખ્ખો હતો. જેનો બહારનો વ્યવહાર ચોખ્ખો ન હોય એને મુનિ તરીકે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy