SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ રાજદય ભાગ-૧૩ મુમુક્ષુ – પચાસ વર્ષ પહેલા એ લોકો કહેતા કે આ મુનિ થયા પછી જ આ વંચાય. પૂજ્ય ભાઈશ્રી :- હા, એમ જ કહેતા, એમ જ કહેતા કે આ તો મુનિને વાંચવા જેવું છે. આપણું કામ નહિ આમાં. આપણું કામ નહિ. મુમુક્ષુ - આજે પણ એમ કહે છે. પૂજ્ય ભાઈશ્રી :- આજે હજી તો અંધારું છે બધું. ત્યાં સંપ્રદાયમાં તો એવું જ છે. કાંઈ ખબર નથી. શુદ્ધોપયોગ તે જૈનધર્મ છે એ આજે પંડિતોને ખબર નથી. એના ઉપર તો નિસાસાં સર્વ' સંકલન કર્યું છે. એ ન્યાય એમણે વિશેષ કાઢ્યો છે કે “અહીં એવો અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે...” જેવો ભેદનો વિચાર કરે એટલે સીધો વિકલ્પ ચાલુ થાય. કેમકે એ સરાગ અવસ્થામાં ભેદનું જ્ઞાન રાગ નિમિત્તક થઈ પડે છે. જ્ઞાનનું કારણ નથી, છે રોગનું કારણ. પણ ત્યાં અવિનાભાવી રાગ અને જ્ઞાનને સંબંધ છે એ બહુ સૂક્ષ્મ વિષય અહીંયાં તારવ્યો છે. એવા ન્યાયો જે મુનિઓએ, આચાર્યોએ નથી કાઢ્યા એ સમ્યગ્દષ્ટિએ કાઢ્યા છે. એ વિશેષતા છે. એવું જ અહીંયાં કે ત્યાગનું ઉત્કૃષ્ટપણે જે જિનવાણીમાં આવ્યું છે એનું કારણ આ છે. જિનેન્દ્રદેવોએ પણ પોતાની ગૃહસ્થદશામાં ત્રણ ત્રણ જ્ઞાનના ધણી હોવા છતાં અને ત્યાગીઓને પણ વૈરાગ્ય ન હોય એવો ગૃહસ્થદશામાં જેને વૈરાગ્ય હતો. મોટા મોટા ત્યાગીઓને પણ એ વૈરાગ્ય ન હોય એવો વૈરાગ્ય જેને ગૃહસ્થદશામાં હતો એણે પણ ત્યાગ જ અંગીકાર કર્યો છે. એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું સિદ્ધ કરે છે અને તીર્થંકરદેવની વાણીને એ પોતે સમર્થન કરે છે. અનંત તીર્થકરોની વાણીને એ સમર્થન કરે છે. એમ કહીને એટલી વાત એમણે કરી દીધી. એમ કહીને એટલી વાત કરી દીધી કે ભલે જ્ઞાન થાય પણ વૈભવ-વિલાસ સાથે એને સુસંગતતા નથી. જ્ઞાન થાય એને ત્યાગ સાથે સુસંગતતા છે. ઉદાસીનતાને ત્યાગ સાથે સુસંગતતા છે, ઉદાસીનતાને પર પદાર્થોના ગ્રહણ સાથે સુસંગતતા નથી. પંચેન્દ્રિયના વિષયોના ગ્રહણ સાથે એને સુસંગતતા નથી. એમ એ વાત એમનાકૃપાળુદેવના હૃદયમાં એટલી બધી હતી કે પોતે એક સમર્થ જ્ઞાની હોવા છતાં અને શાસન ચલાવવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં, જ્યાં સુધી પોતે સર્વસંગપરિત્યાગ કરીને ત્યાગી દશા ગ્રહણ ન કરે ત્યાં સુધી ઉપદેશ માર્ગ પ્રવર્તાવવો નહિ. અને જો
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy