SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ રાજહૃદય ભાગ-૧૩ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી.' અહીં કોઈ કહે કે પયય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય ?’ એ તો ખરેખર નિશ્ચય અંગ છે. વસ્તુનું એ નિશ્ચય અંગ છે. પ્રમાણના વિષયવાળો આખો પદાર્થ લઈએ તો પર્યાય તો એનું એક અંગ છે. તેનું સમાધાન – એ તો ખરું છે. એટલે દ્રવ્યાનુયોગનો અમને ખ્યાલ છે કે એનું અંગ છે. પણ.... આ ન્યાય બહુ વિશિષ્ટ કાઢ્યો છે. પણ કહીને. પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અહીંયાં ઉપદેશ શાનો છે ? દ્રવ્યદૃષ્ટિના વિષયભૂત પદાર્થ જે અભેદ છે એનો ઉપદેશ છે. પ્રમાણના વિષયને અહીંયાં અમારે બતાવવો નથી, એમ કહે છે. અમારે દ્રવ્યદૃષ્ટિનો વિષય બતાવવો છે). ૬ અને ૭ ગાથાનો વિષય આ છે એ દ્રવ્યદૃષ્ટિનો વિષય અમારે બતાવવો છે. પ્રમત્તો - મિત્તો અપ્રમત્ત ને પ્રમત્ત પર્યાય તે હું નહિ. એમ લીધું છે. એ મારું અંગ છે એમ ન કીધું. તે હું નહીં એમ કહી દીધું છે. અહીંયાં તો દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે... આ પણ વાત વિશેષ કાઢી છે. કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી.” ભલે તે ગુણભેદ અને પર્યાયભેદ વસ્તુના અવયવો હોય તોપણ એની દૃષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે...જીવ સરાગી હોવાથી તેને વિકલ્પ રહ્યા કરે છે). વીતરાગીને વાંધો નથી. જે સર્વજ્ઞ વીતરાગ છે એને ગુણભેદ અને પર્યાયભેદ પૂરેપૂરા જણાય છે. એટલા તો છઘસ્થને કોઈ દિવસ જણાતા નથી. અનંતે અનંત ગુણોનો પ્રત્યેક ભેદ, અનંતેઅનંત પર્યાયનો પ્રત્યેક ભેદ, અનાદિઅનંત પર્યાયો અને એક એકનો પર્યાયનો અવિભાગ પ્રતિચ્છેદ એનો પ્રત્યેક અવિભાગ પ્રતિચ્છેદ. એટલા ભેદો એમને જણાવા છતાં એમને રાગ નથી થતો. કેમકે વીતરાગી અવસ્થામાં, સંપૂર્ણ વીતરાગી અવસ્થામાં એ જ્ઞાન થાય છે. પણ સરાગી
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy