SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ રાજહૃદય ભાગ-૧૧ નહિ રહે. આમને ઘણું દુઃખનું કારણ છે. એમ મને નિશ્ચય રહે છે. કે અરેરે.! એનું અહિત થઈ જશે. મારી પાસે આવ્યો અને અહિત કરી જાય? અને મારા નિમિત્તે અહિત કરી જાય? એમ. એમ મને નિશ્ચય રહે છે, અને તે જ કારણથી તમને ઘણી વાર તમારા તરફથી કોઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપીને જણાવ્યું પણ હતું. હવે જુઓ ! એનાથી મોટા હતા. એક Generation નો ફેર હતો. બાપ-દીકરાને ફેર હોય એટલો બે વચ્ચે ફેર હતો. ઠપકો આપીને જણાવ્યું છે. તમને એવો ઠપકો આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનું જેમ ન થાય તેમ જરૂરકરી કરી,... આ વાત તમે નહિકરો. એ બાબતમાં તમને ઠપકો આપ્યો છે. અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી. અને મારી વાત તમે માનો છો. અને માને છે એટલે એમને કહેલું. અને તમે એ વાત સ્વીકારી. તથાપિ તે પ્રમાણે થોડો વખત બની, પાછું વ્યવસાય વિષે લખવાનું બને છે.” વળી વિસ્મૃતિ થઈ જતી હોય એ વાતની, વળી પાછી તમે ધંધાની કોઈ વાત પૂછાવો છો. તો આજના મારા. પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરશો... આજના પત્રને વિચારી જરૂર છે વાત તમે વિસર્જન કરશો; એટલે વ્યવસાયની વાત તમે છોડી દેજો. “અને નિત્ય તેવી વૃત્તિ રાખશો અને હંમેશા તમે એ જવૃત્તિ રાખશો કે મારે આત્મકલ્યાણ માટે સંગ કરવો છે. બીજી કોઈ વાત વચ્ચે લાવવી નથી. તો અવશ્ય હિતકારી થશે; અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે, એમ મને થશે.” નહિતરમને ખેદ થઈ જશે. જો તમે એકલી પારમાર્થિક વાત માટે મારી સાથે સંબંધ રાખશો તો મને બહુ ઉલ્લાસ થશે. કેમકે મારી અંદરની જે પારમાર્થિક વૃત્તિ છે એને તમે ઉલ્લાસનું નિમિત્ત આપ્યું. કારણ એટલે નિમિત્ત આપ્યું એમ હું સમજી લઈશ. બીજા કોઈ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે. મને ગભરાટ છૂટે છે. તમને તો ગભરાટ થતો હશે કે નહિ પણ મને ગભરાટ છૂટે છે, કે અરેરે ! આ અહિતની વાત ક્યાં અહીંયાં કરવા માંડ્યા? આ વાત કરવાનું ઠેકાણું નથી ત્યાં આ વાત ક્યાં કરવા માંડ્યા? એટલે બીજા કોઈપણ સત્સંગપ્રસંગમાં એમ કરે, તમારા સિવાય પણ કોઈ એવું કાંઈ કરે તો મારા ચિત્તમાં બહુ વિચારો ઉભા થઈ જાય છે, મારો જીવ ગભરાય છે. કેમ? કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના એ એની ભાવના શું છે ? પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી.” અરેરે ! આ જીવને
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy