SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ રાજહૃદય ભાગ-૧૧ ગુણસ્થાન પ્રગટ હોગા, ફિર ચૌદવાં ગુણસ્થાન ભી હમકો પ્રગટ હોગા. પોતાની વાત કરી છે. ફિર સિદ્ધાલયમેં જાના હોગા. લેકિન વહ કાર્ય તો પર્યાય કા પર્યાયમેં હોગા. મેં તો અભી સિદ્ધાલયમેંહું. એટલે દૃષ્ટિ તો ત્યારથી જ ફરી ગઈ છે, કે હું તો અત્યારથી જ સિદ્ધાલયમાં છું. ચૌદ ગુણસ્થાન સુધી હોય કે એક ગુણસ્થાન બાકી રહ્યું હોય તો બાકીના દસ બાકી રહ્યા હોય. મને શું ફરક પડે છે? આ ક્ષેત્ર હોય કે સિદ્ધાલયનું ક્ષેત્ર હોય, મારે ક્ષેત્રનું શું કામ છે. ક્ષેત્રથી શું કામ છે. આત્મા આત્મામાં છે, એ અનુભવગોચર પ્રત્યક્ષ છે. મારે કોઈ બહારના ક્ષેત્રથી કામ નથી. આ તો માણસને પથારી ફરે તો ઊંઘ નથી આવતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ બહારગામ જાયને? ત્યાં તો કાંઈ પોતાનું ઘર હોય નહિ ત્યાં તો જે જગ્યાએ સૂવાનો રૂમ હોય ત્યાં સૂવાની પથારી થાય. એને ઉંઘ ન આવે. મને ફાવતું નથી, એમ કહે. ઘર જેવું મને ફાવતું નથી. પહેલા તો એમ કહે કે બને ત્યાં સુધી હું તો બહારગામ જાવ જ નહિ. કેમ કે મને ક્યાંય ફાવે નહિ. મારું ઘર હોય ત્યાં મને ફાવે. પણ તારું હતું કે દિ? અને કયાં સુધી તારે તારા ઘરને બાથ ભરીને રહેવું છે ? પછી છૂટવા ટાણે આકરું પડશે. કારણ કે ઘર તો સાથે આવવાનું નથી. શરીર પણ નથી આવવાનું. ઘર તો ક્યાંથી સાથે આવે? પછી એ વખતે આકરું લાગશે. એટલે એ બધી બાહ્યદૃષ્ટિની પક્કડ ક્યાં ક્યાં કેવી કેવી રીતે જબરદસ્ત કરીને બેઠો છે, એ બધી પક્કડ છોડ્ય છૂટકો છે. ઉદયભાવની તમામ પક્કડછોચે છૂટકો છે. એ બધી કેળવણી લેવાની છે. આ સ્વાધ્યાયનો અર્થ એ બધી કેળવણી લેવાનો અર્થ છે. ગમે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ હોય નહિ, હું જ્ઞાન છું અને એ બધું જોય છે. કાંઈ વાતમાં નથી. જ્ઞાતાદણને બીજો સવાલ શું હોય? કે બીજો કાંઈ પ્રશ્ન જ મને હોઈ શકે નહિ. નિશ્ચય તો કરવો જોઈએ. હજીવિકલ્પમાં દઢતા ન હોય તો નિર્વિકલ્પતા આવવાની કયે દિવસે ? પ્રશ્ન જ નથી. એટલે તીર્થંકરદેવને પણ ચાર કર્મ વેદવાં પડે છે, તો તેથી ઓછી ભૂમિકામાં, સ્થિત... એટલે જેને આઠે કર્મ હજી બાકી છે. ચાર કર્મ નહિ જેને આઠે કર્મ હજી ભોગવવાના બાકી છે એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી.’ એને તો બાંધલા કર્મઉદયમાં આવવાના જ છે. એ પ્રકારે સંયોગ-વિયોગ થવાના જ છે. એમાં કોઈનું ચાલે એવું નથી. ઈન્દ્ર, નરેન્દ્ર,જિનેન્દ્રકોઈ ફેરફાર કરી શકે એવું નથી. એટલા માટે જ્યોતિષનો નિષેધ કર્યો છે. જોષ જોવડાવે છે અને ઓલા પથરા પહેરે છે. પથરા જ કહેવાય ને ? લાલ, પીળા, લીલા ને એવા બધા વીંટીમાં, ગળામાં પહેરે. ગમે ત્યાં બાંધે, માદળીયા બાંધ, દોરા-ધાગા બાંધ એ બધાનો એટલે નિષેધ કર્યો
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy