SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ રાજહૃદય ભાગ-૧૧ ૫૪૮મો પત્ર “સોભાગ્યભાઈ' ઉપરનો છે. “પરમ સ્નેહી શ્રી સોભાગ, તમારા ત્રણેક પત્રો પહોંચ્યા છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યા હતાં, જેમાંના એકનું સમાધાન નીચે લખ્યું છે. અગાઉનો પત્ર એમણે માગશર વદ ૧ લખેલો છે, ત્યાર પછી અઠવાડિયે, આઠ દિવસ પછી માગશર વદ ૯પત્ર લખે છે. એ દરમ્યાનમાં “સોભાગભાઈના ત્રણ પત્ર એક અઠવાડિયામાં એમને પહોંચ્યા છે. એમનો પત્ર લખવાનો દેખાય છે. એક અઠવાડિયામાં સામે જવાબ નથી મળ્યા પણ ત્રણ પત્રો એમણે લખ્યા છે. પહોંચ લખી છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યા હતા. તેમાં ત્રણમાંથી કોઈ એક પત્રમાં બે પ્રશ્ન લખેલા છે. એમાંના એકનું સમાધાન એ નીચે આપે છે. પત્ર અધૂરો રાખ્યો છે અને પાછો બે દિવસ પછી વિસ્તારથી, જે પ૫૦ નંબરનો આંક છે, એ ફરીને એમણે લખ્યો છે. એમાં જરા વિસ્તાર કર્યો છે એવું છે. વિષય બહુ સારો લીધો છે. મુમુક્ષુ જીવને જો જ્ઞાનીપુરુષનો નિશ્ચયથાય અને સત્સંગ થાય તો નિયમથી એના આત્માનું કલ્યાણ થઈ જાય અને કલ્યાણ થયા વિના રહે નહિ. એ વિષય ઉપર આ 48-1 Cazuzell Paragraph 88 247 242424-1 HRHL 4BL Bill Paragraph માં વિશેષ કરીને કર્યો છે. ત્યાં “સોનગઢ' જે ગુરુદેવશ્રીનું વચનામૃત ૧૮૨ વાંચ્યું તો એમ લાગે છે કે માત્ર આ “કૃપાળુદેવે સત્પરુષનો મહિમા કર્યો છે એવું નથી. ગુરુદેવે એટલો જ મહિમા કર્યો છે. શ્રીગુરુનો કેટલો મહિમા કર્યો છે એ વિષય ચાલ્યો ૧૮રમાં અને એના અનુસંધાનમાં ૨૩ર Reference માટે દેખાડ્યો. એટલે એ વાત સાબિત કરવાની કોઈ જરૂર નથી, ખાત્રી આપવાની જરૂર નથી કે પુરુષના વિષયમાં કે શ્રીગુરુના વિષયમાં બધા જ્ઞાનીઓ એક જ અભિપ્રાયમાં ઊભા છે, એ વાત સાબિત કરવાની જરૂર રહેતી નથી. એ વાત બહુ સ્પષ્ટ થાય છે.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy