SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ પત્રાંક-૫૭૨ તો ૩૧મું વર્ષ ચાલે છે ને ? લગભગ પોતે નિવૃત્તિ લીધી છે. ૩૦માં વર્ષથી બાહ્ય નિવૃત્તિમાં આવ્યા છે. ૩૧મા વર્ષમાં વિશેષ નિવૃત્તિમાં આવ્યા, ૩રમા વર્ષમાં તો એકદમ નિવૃત્તિમાં આવ્યા છે. એક શાસન ચલાવે એવા સમર્થ પુરુષ હતા. એક એક વાત ઉપર એમનો ઉપયોગ તો જુઓ ! કોઈ એક Issue ઊભો થાય છે, બહાર કે અંદરનો, સમાજનો કે શાસનનો, એમનો ઉપયોગ કેટલો ઊંડો જાય છે ! કેટલા પડખેથી (ઉપયોગ ફરી જતો) દેખાય છે. એમના પરિચયમાં આવ્યા એવા બે ચાર જીવો, આંગળીને વેઢે ગણાય એવા કોઈક કોઈક પાત્રતાવાળા દેખાય છે. સમાજ ઉપર દૃષ્ટિપાત કરે છે તો એમ લાગે છે કે આ.હા.! લાખો ગાઉ લોકો દૂર છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે. આ તો સો વર્ષ પહેલાની વાત છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે. પાછા વાળવા જાવું કેવી રીતે વળે? કાંઈ દેખાતું નથી. પરિસ્થિતિ કોઈ શક્યતા દેખાતી નથી. એટલે લખાઈ ગયું કે આ કરાળ કાળ છે. આ કાળ ઘણો કરાળ છે. ગુરુદેવે’ ૪૫ વર્ષ સુધી. સમર્થ પુરુષ હતા, આવું તત્ત્વ સ્થાપ્યું. આખું ખેદાનમેદાન તો તરત થઈ ગયું. એમના સ્વર્ગવાસ બાદ એક મહિનામાં તો ભડકો થયો. પછીના વર્ષોમાં તો કોઈ સારી વાત નથી રહી. એ કરાળ કાળ છે. જીવોના પરિણામ એટલા બધા ઉતરતા છે કે એનો કોઈ ઉપાય નથી. ઠીક છે, ભાવના અનુસાર વિકલ્પ આવે. કાર્ય તો થવાના હોય તે થાય અને ન થવાના હોય તો ન થાય. એટલે સોગાનીજીએ લખ્યું છે ને? એ પોતે ગુપ્ત રહી ગયા છે. એમણે એક વાત નાખી છે. મુમુક્ષુ-દ્રવ્યદૃષ્ટિપ્રકાશમાં? પૂજ્ય ભાઈશ્રી:-છે આમાં જૂનું હશેને? પ૫૮. પહેલાં પોતાની નિશ્ચય પ્રભાવના કરીને, પોતાનું સુખ પીવામાં મગ્ન રહો.” પોતાની નિશ્ચય પ્રભાવના આત્મામાં કરીને પોતાનું સુખ પીવામાં મગ્ન રહો). અંદરમાં અમૃત છે ચૈતન્યનું. આત્માની મહાનતા આ એક જ કારણે છે. જેને સુધારસ કહે છે એવો અમૃતરસ ચૈતન્યઅમૃત આત્મામાં અનંત...અનંત. અનંત... અનંત... જેને કાંઈ જથ્થાની હદનથી એટલું પડેલું છે. એને પ્રગટ કરીને એ પીવામાં મગ્ન રહો. પછી જેવો જેવો યોગ હોય છે. બહારમાં જેવો યોગ હોય છે એટલે શું ? બનવાજોગ યોગ હોય છે એવો યોગ હોય છે. એવો જ્ઞાનીને પણ વિકલ્પ આવે છે. વિકલ્પમાં ઊભા છે ત્યાં સુધી એને વિકલ્પ આવે છે. બસ, આથી વધારે એણે કાંઈ વિચાર્યું નથી. બાહરના કારણો માટે જ્ઞાનીઓએ આથી વધારે કાંઈ વિચાર્યું નથી. પારમાર્થિક દૃષ્ટિકોણથી એનો પોતે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy