SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૭૨ ૩૮૧ ને ? એ ત્રણ ખંડનો ધણી હતો. નારાયણ હતા. નારાયણની પદવી હતી, વાસુદેવની પદવી હતી. એનો અર્થ શું? એ રીતે કથા ગોઠવી છે. ભલે કર્યું હોય કે ન કર્યું હોય. પણ એ વખતે જે વાત ગોઠવી છે એની અંદર એક આદર્શ છે કે જ્યારે કોઈ ધાર્મિક કામ હોય એટલે નાનામાં નાનું કામ હોય, નાનામાં નાની સેવા કરવા મોટામાં મોટા માણસ તૈયાર થાય છે. જે પુણ્યની દૃષ્ટિએ સમાજની અંદર મોટામાં મોટો માણસ હોય,શ્રીમંત હોય, રાજા હોય, શેઠિયો હોય, ગમે તે હોય એ નાનામાં નાની સેવા કરવા તૈયાર થઈ જાય. એ નાનામાં નાનું કામ કરે. તે પોતાને એટલી વીતરાગ શાસન અને વીતરાગતા પ્રત્યે એની એટલી વિનમ્રતા છે. ગમે તે કામ સોંપો. સામેથી ગમે તે નાનામાં નાનું કામ કરે. અને નાનામાં નાનો દેખાય એ એનું ગૌરવ છે ખરેખર તો. એ એના માટે અશોભા નથી પણ એ એની શોભા છે. જેને સેવા કરવી છે એને તો કાંઈ વાંધો નથી. સેવા કરવા માટે ઊભો રહે. શરત એ છે કે પોતાના પરિણામ સાચવીને પરિણામની અંદર કોઈ તીવ્ર શુભાશુભ રસ ન થવો જોઈએ. અશુભ પણ નહિ અને શુભ પણ નહિ. તીવ્ર રસેન જાવું. મુમુક્ષુ - માર્ગદર્શન સારું મળ્યું છે. પણ આમાં ભેદરેખા જે છાંટવાની છે એમાં તો ઘણી જાગૃતિની જરૂર છે. પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો Salesmanship નો દષ્ટાંત આપ્યો. એમાં ભેદરેખા એ છે કે ન તો પેલાને જવા દેવો છે કે ન તો માલ મફત દેવો છે. પોતાના ભાવથી આપવો છે અને છતાં પેલાને જાવા દેવો નથી. એમ બે બાજુનું વિરુદ્ધ કામ એકસાથે પોતે કરે છે કે નહિ? એનું નામ કૂનેહ છે, એનું નામ Technicછે. એમ અહીંયાં પણ પોતે શુભાશુભ પરિણામમાં ઊભો છે તો પોતાને યોગ્ય શુભાશુભભાવ હોય એ પ્રકારે એ પોતે સેવા આપે. એ પણ પોતાની યોગ્યતાનો જ વિષય છે. અને એમ કરતાં પોતાના પરિણામ ન બગડે એ પણ એણે વિચાર કરવો. કેમકે ગમે તેટલા વિચારો (હોય) અથવા કાર્ય કરવાના, સારામાં સારા કાર્ય કરવાના મનોરથો હોય, તોપણ તે થાય જ, એ કોઈ દેશકાળ જોવામાં આવતો નથી. આમાં આવશે. પાછળ ચર્ચા કરીએ છીએ એમાં આવશે. તરત જ આવશે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર થયા. આમ તો તીર્થકરો સાથે અનેક જીવો મોક્ષે જાય. . આ પંચમકાળ બેઠો એને કાંઈક ગણતરીના દિવસો બાકી હતા અને કેવળજ્ઞાન થયું છે. ના, એમના નિર્વાણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આમ તો લગભગ ૩૦ વર્ષ કેવળજ્ઞાન રહ્યું છે. ૪૨ થી ૭૨. ૭૨ વર્ષનું આયુષ્ય હતું
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy