SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ચજહૃદય ભાગ-૧૧ મુમુક્ષુ-વ્યલિંગી મુનિને કષાય તો મંદ પડ્યો છે. પૂજ્ય ભાઈશ્રી:-ઘણો મંદ પડ્યો છે. મુમુક્ષુ - રસ તીવ્ર છે. પૂજ્ય ભાઈશ્રી:- કષાયનો રસ મંદ નથી પડ્યો અને દર્શનમોહ પણ મંદ નથી થયો. એ સંતોષ પામે છે. સમયસારની ૧૫૪ ગાથા છે. કર્તા-કર્મ અધિકાર પૂરો કર્યા પછી પુણ્ય-પાપ અધિકાર શરૂ કર્યો છે. એમાં ૧૫૪ ગાથામાં એ દ્રવ્યલિંગી મુનિની વાત લીધી છે. એ પંચાચારને પાળે છે. દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વિચાર, ચારિત્રાચાર. પણ એ પોતાના વર્તમાન કષાયની મંદતાના પરિણામથી સંતુષ્ટ છે. સ્થળ એવા કષાયની તીવ્રતાના પરિણામથી નિવર્યો છે, પણ સ્થળ એવા કષાયની મંદતાના પરિણામથી નિવર્યો જ નથી. અને ત્યાં એને સંતુષ્ટપણું થાય છે. કોઈપણ વર્તમાન અવસ્થામાં સંતોષ થયો એટલે દર્શનમોહની પક્કડ છે એ આપો આપ જ વધારે તીવ્ર થઈ ગઈ. મુમુક્ષુ-દર્શનાચાર પાળે છતાં શ્રદ્ધાનમાં ભૂલ રહી જાય? પૂજ્ય ભાઈશ્રી:-હા થઈ જાય. એમાં શું છે? દર્શનાચાર એટલે ખરેખર શું છે? કે જે શ્રદ્ધાના વિષયભૂત નિશ્ચય તત્ત્વ પોતાનો આત્મા છે અને શ્રદ્ધાના વિષયમાં નવ તત્ત્વનું શ્રદ્ધાન તેને સમ્યગ્દર્શન (કહે છે). એમ બે રીતે કહેવામાં આવે છે. ભેદથી અને અભેદથી. અને એ બંને વિષયમાં એના વિચારો ચાલે છે. છતાં પણ વર્તમાન પર્યાયના સંતોષપણાને લીધે અને એકત્વની તીવ્રતાને લીધે દર્શનમોહ જરા પણ મંદ પડતો નથી. આ એક તકલીફવાળી વાત છે. ધ્યાન ખેંચવા જેવો વિષય છે. એને કરવાનું શું બાકી રહે છે? એક ચકલું, દેડકું સમ્યગ્દર્શનને પામે છે. તિર્યંચ અવસ્થા છે, એને કાંઈ ઉઘાડ નથી. અને આ દ્રવ્યલિંગીને અંગ પૂર્વનો ઉઘાડ હોય છે. અત્યારે એવો; કોઈને છે નહિ. એવો અંગ-પૂર્વનો ઉઘાડ હોય છે અને મંદ કષાયનું એટલું આચરણ હોય છે. જ્ઞાનનો ક્ષયોપશમ અને ચારિત્રનો ક્ષયોપશમ બહુ સારો છે. પણ પગથિયું ચૂકેલો છે. પહેલું પગથિયું દર્શનમોહનો અભાવ કરવાનું છે. એ પહેલા બીજી દિશામાં પ્રગતિ કરવા ગયો. દર્શનમોહની દિશામાં પ્રગતિ કરવાને બદલે જ્ઞાન અને ચારિત્રના ગુણ ઉપર એને આસક્તિ થઈ કે આમાં વિકાસ થાય. જેટલો મારો આમાં વિકાસ થાય એટલો કરું.દિશાફેર થઈ જશે. એક ચકલું, દેડકું પ્રાપ્ત કરે છે એણે શું કર્યું? અને આવો દ્રવ્યલિંગી નથી કરતો એણે શું ન કર્યું? બસ. આ એક મુદ્દા ઉપર Concentration કરવા જેવું છે. આ મુદ્દો જો ઉકલી જાય તો વાંધો નથી. અને નહિતર
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy