SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ રાજહૃદય ભાગ-૧૧ પૂજ્ય ભાઈશ્રી:- વધુમાં વધું. વધુમાં વધું. મુમુક્ષુ -છ મહિનામાં ૧૦૮ જાય? પૂજ્ય ભાઈશ્રી:- નહિ. એ તો શું છે કે એક સમયમાં ૧૦૮ જતા નથી. પણ ૬૦૮માં કોઈ વખત એક સમયમાં ૧૦૮ વયા જાય ખરા એમ કહે છે. એમ કહેવું છે. બાકીદર સમયે ૧૦૮નથી જતાં. પણ એક તર્ક આપ્યો કે માનો કે જતા હોય તો, તો પણ સંસારી જીવની સંખ્યા એટલી મોટી છે કે એ તો અનંતા સંસારમાં રહેશે. એ તો તર્કનો જવાબ આપ્યો છે. પરિસ્થિતિ એમ નથી. અને તેથી બંધમોક્ષ વ્યવસ્થામાં વિપર્યય થતું નથી. માટે જિનાગમમાં બંધમોક્ષની વ્યવસ્થાનું નિરૂપણ કર્યું છે એમાં કાંઈ બાધ આવતો નથી, ક્યાંય વિરોધ આવતો નથી, વિપર્યાસ ઉત્પન્ન થતો નથી. “આ વિષે વધારે ચર્ચા સમાગમમાં કરશો તો અડચણ નથી.” રૂબરૂમાં એ ચર્ચા કરજો. “જીવના બંધમોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં પતું લખ્યું છે.' ઉપરનું જે પોસ્ટકાર્ડ છે એ બંધ-મોક્ષની વ્યવસ્થા વિષે સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રકારનાં જે પ્રશ્નો હોયતેતે સમાધાન થઈ શકે એવા છે, કોઈ પછી અલ્પકાળે અને કોઈ પછી વિશેષ કાળે સમજે અથવા સમજાય, પણ એ સૌ વ્યવસ્થાનાં સમાધાન થઈ શકે એવા છે.' સી કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે,” એટલે ઓલી વાત કાંઈ વિચારવા જેવી નથી. એમ કરીને ગૌણ કરાવી નાખી, જોયું! શૈલી કેટલી છે. “સૌ કરતાં વિચારવા યોગ્ય વાત તો હાલ એ છે કે અત્યારે તો કે ઉપાધિ કરવામાં આવે, અને કેવળ અસંગદશા રહે એમ બનવું અત્યંત કઠણ છે;” જે સંસારના કાર્યોની ઉપાધિ છે અને એને પાછું અસંગપણું રહી જાય, સર્વસંગપરિત્યાગ થાય, બે વાત તો કેવી રીતે બને? કાં તો એ સર્વસંગપરિત્યાગ કરે તો એને કોઈ ઉપાધિના કાર્યન હોય, ઉપાધિના કાર્ય હોય તો સર્વસંગપરિત્યાગ અને ન હોય. એટલે આ ગૃહસ્થદશામાં મુનિદશામાને છે એમાં આ સિદ્ધાંત આવી ગયો. જેમ પેલો અરિહંતદેવનો, તીર્થંકરદેવનો તેરમા ગુણસ્થાને સિદ્ધાંત આવ્યો, કે અત્યંત જ્ઞાન હોય ત્યાં જ અત્યંત ત્યાગ સંભવે અને અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય. એ જે પ૬૯માં વાત કરી એ તીર્થકરદેવની અરિહંતદશાની વાત કરી. અહીંયાં મુનિદશાની વાત છે. અસંગદશા એટલે મુનિદશા. કે, ઉપાધિ કરવામાં આવે” કેમકે એ તો દેહની ઉપાધિ કરતા નથી. મુનિરાજ તો દેહની ઉપાધિ કરતા નથી. પછી બીજાની ઉપાધિ કરવાનો પ્રશ્ન રહેતો નથી.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy