SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૬૯ ૨૮૯ આત્મવિચાર કરતા જ નથી. એને તો આત્મજ્ઞાન થવાની કોઈ સંભાવના નથી. એટલે જગતનો બહુભાગમનુષ્ય તો આત્મવિચાર કરતો નથી. ધર્મના ક્ષેત્રમાં બીજી ક્રિયાકાંડ કરે છે પણ આત્માનો વિચાર કરવો એ બહુ (જીવો) નથી (કરતા). એમાં પણ વિચારબળવર્ધમાન થાય, વૃદ્ધિગત થાય એ પ્રકારમાં બહુ ઓછા જીવો આવે છે. મુમુક્ષુ-વિચારબળ એટલે? પૂજ્ય ભાઈશ્રી - વિચારબળ એટલે જે વાત સમજમાં આવી એનું બળ ઉત્પન્ન થઈને, એનું જ કાર્યાન્વિતપણું થવું. એનું કાર્ય આવવું જોઈએ ને ? વિચાર કરે પણ એનું કોઈ કાર્યન આગળ ચાલે તો એ વિચાર તો નિષ્ફળ જશે. એને કોઈ સફળપણું નહિ થાય. મુમુક્ષુ - ધંધો કરવો છે એમ વિચારે પણ ધંધો કરે નહિ. પૂજ્ય ભાઈશ્રી – તો થાય ? ભૂખ લાગી હોય અને મીઠાઈને યાદ કરે, મીઠાઈનો વિચાર કરે. એથી કાંઈ પેટ ભરાય નહિ. ખાય તો પેટ ભરાય ને? એમ વિચારનો અમલ કરવામાં આવે તો કાર્ય થાય. એ એનું સફળપણું છે. નહિતર વિચાર તો વિચાર પૂરતો રહી જશે. એમ નથી થતું એનું કારણ બીજું છે. કાલે એ વાત ચાલતી હતી કે બહુભાગ જીવોને તો આ દિશાનો વિચાર, વાંચન, શ્રવણ આદિ થવાની સાથે સાથે આરંભ પરિગ્રહનું અલ્પત્વથતું નથી. જે અસસંગનું કારણ છે. એટલે એની જે સંયોગો વધારવાની, સંયોગો સુધારવાની અને સંયોગિક કાર્યો કરવાની જે પક્કડ છે, એની જે તીવ્રતા ઘટવી જોઈએ એ તીવ્રતા નથી ઘટતી. અલ્પત્વ નથી થતું એટલે એના રસનું મંદપણું નથી થતું. એ અસત્પ્રસંગનું બળ છે. જેથી સત્સંગમાં અથવા સશ્રવણની અંદર જે કાંઈ સાંભળ્યું છે એ બે પરિબળ સામા સામા ઊભા છે. એક બાજુ સત્પ્રસંગ, એક બાજુએસ પ્રસંગ. જે બળવાન હોય Major force prevails. જે વધારે બળવાન હોય એનું કામ થાય. બળિયાના બે ભાગ. એ તો સીધી વાત છે. બળવાન હોય એનું કામ થાય. બે લડે એમાં બળવાન જીતે. નબળો કેવી રીતે જીતે? એટલે એક તો એ બાજુનું અસત્યસંગનું બળ પહેલેથી વિશેષ છે જ. એમાં આ નવો પ્રસંગ શરૂ કર્યો, કે આત્મવિચાર. હવે એનું બળ આના કરતા વધવું જોઈએ. એનું બળ ક્યારે વધે? કે આનું બળ ઘટે ત્યારે વધે. આ બળ એટલું ને એટલું રહેતો બળતો જેટલું છે એમાંથી જવિભાગ પડવાનો છે. જીવના પરિણામમાં જે બળ છે એ પરિણામબળ તો જેટલું છે એટલી માત્રામાં છે. એમાંથી જે વિભાગ થવાના છે એમાં આ બે વિભાગમાંથી જેટલું સત્ પ્રત્યેનું બળ વધે એટલું અસતુનું બળ ઘટે.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy