SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૫૬૯ . ૨૮૩ અને સત્સંગ ન હોય અને અસત્સંગ શું? અને અસત્સંગમાંથી કુસંગ ક્યાંથી થયો ? કેમ થયો? એ પણ એને પોતાને સમજણ ન પડે. એ પ્રકાર ઊભો થઈ જાય એટલે થઈ જાય. એમાંથી એ કારણ બની જાય છે. એટલે જીવનું વિચારબળ પ્રવર્તતું નથી અથવા થોડો ઘણો સત્સંગમળે છે. “જીવનું વિચારબળપ્રવર્તતું નથી અથવા થોડોઘણો સત્સંગ મળે છે.... એ તો માત્ર... આ નિઃશંક વાત છે, નિર્વિવાદ વાત છે, કે આ પરિસ્થિતિમાં જીવે અનંતકાળ કાઢ્યો છે. કયારેક એને સત્સંગ મળ્યો છે, કયારેક સપુરુષ મળ્યા છે પણ એ અસત્સંગ અને કુસંગમાં એ પરિસ્થિતિને એણે જે કાંઈ થોડો...જેને એમ કહેવાય કે સંગ થયો, લાભ મળ્યો, સંયોગદષ્ટિએ લાભ મળ્યો, એ લાભ પાછો નુકસાનમાં ફેરવાય ગયો છે. હવે એના માટે શું કરવું જોઈએ?કે સત્સંગ કરવો જોઈએ. તો સત્સંગ કરવા માટે સમય કાઢવો પડે. સત્સંગ માટે તો ખાસ સમય કાઢવો પડે. બીજી પ્રવૃત્તિ ઓછી કરીને સમય કાઢવો પડે. એના માટે ‘આરંભપરિગ્રહનું અલ્પત કરવાથી અથવા આરંભ પરિગ્રહ પ્રત્યેના પરિણામમાં રસનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે.” એને અસ...સંગ પ્રત્યેના જે પરિણામ અને રસ છે એ બળ એનું ઘટે છે. પરિણામની અંદર અસ...સંગ તરફનું બળ છે એટલે જીવને એ બાજુ રસ છે. એને કુટુંબમાં રસ છે, એને પોતાના વ્યવસાયમાં રસ છે અને એ રસ છે એ અસત્યસંગનું બળ છે. એ પરિણામની અંદર અસસંગનું બળ છે. અને એની પાછળ એને આરંભ પરિગ્રહનું ધ્યેય રહેલું છે. પોતાની સંયોગની સ્થિતિ સુધારવી, વધારવી, જાળવવી, સાચવવી, એની સાવધાની, એની જાગૃતિએ બળ ત્યાં એનું કામ કરે છે. એ બળ ઘટતા અથવા એ કરવા જેવું નથી એમ સમજીને સત્સંગનો આશ્રય કરતાં, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. એ સત્સંગમાં એને સમજવાનું મળે છે, કે મારા આત્માને નુકસાન ક્યાં છે? મારા આત્માને લાભ ક્યાં છે? જ્યારે જીવને ખરેખર નુકસાન સમજાય તો એ નુકસાનમાં ઊભો રહે એ જીવનો સ્વભાવ નથી. નુકસાનમાં ઊભા રહેવું એ જીવના સ્વભાવ બહારની વાત છે. કોઈ ઊભો જ ન રહે. નુકસાનને લાભ માને ત્યાં સુધી તો પ્રવર્તે, પણ નુકસાનનું નુકસાન સમજીને ઊભો રહે એવું કોઈ દિવસ બનતું નથી. એટલે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. સામેસામું લીધું છે. સંગે સંગ. સત્સંગમાં અસત્સંગ તૂટે, અસત્સંગથી સત્સંગ તૂટે. “અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એટલે કે આરંભ પરિગ્રહ અને જે કાંઈ
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy