SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ચજહૃદય ભાગ-૧૧ ભૂલાઈ ગઈ હોય અને બધું એમ ને એમ થયા કરતું હોય એમ થાય છે? આ જરા વિચાર માગે એવો વિષય છે. નહિતર ઉપર ઉપરથી માણસ એમ નક્કી કરે છે કે એટલા માટે તો અહીંયાં આવ્યા. મોટા ભાગના એવા છે કે અહીંનહોતા આવતા એ આવ્યા છે. કોકને જ બાપદાદાના વખતથી ચાલુ હશે. બાકી તો ક્યાંક બીજે જતા હતા એ અહીં આવતા થયા છે. પણ એ જૂના હોયકેનવા હોય, પોતાની પ્રવૃત્તિ ધ્યેયની સાથે સુસંગત રહીને બરાબર લક્ષ્ય છૂટ્યા વિના, ધ્યેયનું લક્ષ્ય છૂટ્યા વિના, વિસ્મૃત થયા વિના બરાબર પ્રવૃત્તિ ચાલે છે? જો એમ ચાલતી હોય તો એમાં કાંઈ ભૂલ થાય એની એને ખબર પડે. મારા ધ્યેયથી વિરુદ્ધ જવાય છે, આ બાબતમાં મારા ધ્યેયથી વિરુદ્ધ જવાય છે. જ્યાં જ્યાં ભૂલ થવાની પરિસ્થિતિ આવે ત્યાં ત્યાં એને તરત જLightથાય. સમ્યજ્ઞાન પહેલા ભૂલ ન થાય... સમ્યજ્ઞાની ન ભૂલે કેમકે એને આત્મભાન વર્તે છે. પણ સમ્યજ્ઞાન ન થયું હોય તો મુમુક્ષુઓને ભૂલ થવાની સંભાવનાઓ ઘણી છે. એને ભૂલ ન થાય એવી કોઈ લાઈનદોરી છે? આ એક વિચારવા જેવો વિષય છે. આપણને એટલું જ્ઞાન નથી પણ ભૂલ ન થાય એના માટે શું? તો કહે છે, એના માટે આ એક વાત છે કે જે કાંઈ કરવું છે તે મોક્ષાર્થે કરવું છે. પૂર્ણતાનું લક્ષ. મોક્ષાર્થ કહો કે પૂર્ણતાનું લક્ષ કહો. જો લક્ષ હોય તો જેટલી વાત, જેટલા Issue ઊભા થાય એમાં કયાંય ભૂલ નહિ થાય. ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી પણ અનેક જાતના સંગ,પ્રસંગો, ચિત્ર, વિચિત્ર બધા બનાવો બને છે. બને છે કે નહિ? કેમ કે ભિન્ન-ભિન્ન મતિવાળા માણસો ભેગા થાય. જ્યાં માણસો એકત્રિત થાય છે ત્યાં તુંડે તુંડે મતિ ભિન્ના. કોઈકની ખોપરીમાં કાંઈક બેસે છે, કોઈકની ખોપરીમાં કાંઈક બેસે છે. મારે શું કરવું? આમ કરું તો બરાબર ? કે આમ કરું તો બરાબર ન ભૂલાય એવું મારા હાથમાં શું સાધન છે ? કે મારી ભૂલન થાય. એના માટે આ એક સ્પષ્ટ લાઈનદોરી છે. કે જો પરિપૂર્ણ શુદ્ધિનું ધ્યેય હોય તો ધ્યેયને અનુકૂળ છે કે ધ્યેયને પ્રતિકૂળ છે એની સૂઝબૂઝ પોતાને આવે છે. નહિતર એની સૂઝબૂઝ પોતાને રહેતી નથી. એમતિદોષથી કોઈની સાથે ક્યાંયને ક્યાંય દોરવાઈ જાય છે અને પોતાના આત્માને જે રસ્તે જાવું હોય એના બદલે ઊંધે રસ્તે ચાલવા માંડે છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એના માટે આ વાત કરી છે. જીવ વિષે જાણો, એના પ્રદેશ વિષે જાણો, એની સંખ્યાઓ વિષે જાણો, જે કાંઈ યથાશક્તિ વિચાર કરવો છે એ મોક્ષાર્થે કરવો છે. એ પદાર્થનું જાણપણું કરવા માટે એટલે કે પોતાની માત્ર કુતૂહલ વૃત્તિને સંતોષવા માટે અહીં આવવું છે, કે ચાલો આપણે
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy