SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-પ૬૭. ૨૪૭ આ પ્રશ્ન છે. વિચારવો. આ પ્રશ્ન છે, જરા અઘરો પ્રશ્ન છે. કેમકે એ પ્રશ્ન તો જ્ઞાનીને થયેલો છે. માટે એ અઘરો પ્રશ્ન છે. એનો ઉત્તર “સોભાગભાઈ' જેવાને પૂક્યો છે. પણ યથાશકિત વિચારવો જોઈએ કે શું કરવું જોઈએ ? જ્ઞાનીએ આવી પરિસ્થિતિ, આવી સંકડાશ હોય ત્યારે કેવી રીતે એમણે ચાલવું જોઈએ? પરિણામની ચાલ એમની કેવી હોવી જોઈએ? એ વિચારવા જેવો વિષય છે. જરા ઊંડાણથી વિચારવા જેવો વિષય છે. વિચારવો. અને કાંઈ વિચારાય તો એની ચર્ચા કરશું. પત્રાંક-૫૬૭ મુંબઈ, ફાગણ સુદ ૧૫, ૧૯૫૧ શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર - બે તાર, બે પત્ર તથા બે પત્તા મળ્યાં છે. શ્રી જિન જેવા પુરુષે ગૃહવાસમાં જે પ્રતિબંધ કર્યો નથી તે પ્રતિબંધ ન થવા આવવાનું કે પત્ર લખવાનું થયું નથી તે માટે અત્યંત દીનપણે ક્ષમા ઈચ્છું છું. સંપૂર્ણ વીતરાગતા નહીં હોવાથી આ પ્રમાણે વર્તતાં અંતરમાં વિક્ષેપ થયો છે, જે વિક્ષેપ પણ શમાવવો ઘટે એ પ્રકારે જ્ઞાનીએ માર્ગ દીઠો છે. જે આત્માનો અંતવ્યપાર અંતરિણામની ધારા) તે, બંધ અને મોક્ષની (કર્મથી આત્માનું બંધાવું અને તેથી આત્માનું છૂટવું) વ્યવસ્થાનો હેતુ છે, માત્ર શરીરચેઝ બંધમોક્ષની વ્યવસ્થાનો હેતુ નથી. વિશેષ રોગાદિ યોગે જ્ઞાનીપુરુષના દેહને વિષે પણ નિર્બળપણું મંદપણું, સ્લાનતા, કેપ,સ્વેદમૂચ્છ, બાહ્ય વિભમાદિ દષ્ટ થાય છે; તથાપિ જેટલું જ્ઞાન કરીને બોધ કરીને, વૈરાગ્યે કરીને આત્માનું નિર્મળપણું થયું છે, તેટલા નિર્મળપણાએ કરી તે રોગને અંતર્પરિણામે જ્ઞાની વેદે છે, અને વેદતાં કદાપિ બાહ્ય સ્થિતિ ઉન્મત્ત જોવામાં આવે તો પણ અંતર્પરિણામ પ્રમાણે કર્મબંધ અથવા નિવૃત્તિ થાય છે. આત્મા જ્યાં અત્યંત શુદ્ધએવા નિજપયયને સહજસ્વભાવે ભજેત્યાં– અપૂર્ણ પત્રાંક-પ૬૭. શ્રી વીતરાગને પરમભક્તિએ નમસ્કાર.' વીતરાગદેવને, પરિપૂર્ણ જેમને
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy