SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ પત્રાંક-૫૬૫ અહીંયાં જાવું છે, આને સાચવવો છે અને આને સાચવવો છે. અંદરમાં એની જાળમાંથી છૂટો થાય નહિ. ધર્મ થાય ક્યાંથી? ધર્મ કયાં રેઢો પડ્યો છે એવી રીતે કે થઈ જાય. એ પ૬૫ (પત્ર પૂરો થયો. બે-બે લીટીના પત્રો છે પણ જીવને જો ગ્રહણ કરવું હોય, અંગીકાર કરવું હોય તો એકદમ એને સીધે સીધી અસર થાય એવી વાત છે. મુમુક્ષુ – ઘરમાં છોકરા-છોકરીના લગન બાકી હોય, ઘણી Liabilities બાકી હોય, પરિચયથી...કરી લઈએ તો ઉપાધિ ન થાય? પૂજ્ય ભાઈશ્રી:– કાંઈ ઉપાધિ થાય નહિ. એના નસીબ લઈને આવ્યા છે. તમે શું કરી દેવાના હતા?એના એ નસીબ લઈને આવ્યા છે. પૂર્વકર્મ લઈને આવ્યા છે. સારામાં સારું તમે ગોત્યું હોય, હોંશિયારી કરીને અને પછી પાછળથી દેવાળું કાઢે. તો કરો ? શું કરો ? તમારી પહોંચ કેટલી? સારામાં સારું મળ્યું હોય અને પાછળથી પાર વગરની તકલીફ ઊભી થતી હોય તો શું કરો ? તમારી પહોંચ કેટલી ? અને એક જીવના પરિણમનને કે પુદ્ગલના પરિણમનને કોણ કરે અને કોણ રોકે કેવી રીતે થઈ શકે એવું છે? અશક્ય વસ્તુ છે. એ તો કુદરત કુદરતનું કામ કરે છે. એમાં પોતે કર્તા-હર્તા થાય તો ઉપાધિ વધારવા સિવાય અને જીવને બંધન વધારવા સિવાય બીજું કાંઈ નથી. આથી વધારે કાંઈ નથી. મુમુક્ષુ-પરિચય એટલા માટે તો વધારે છે કે કોઈ કામ આવશે. પૂજ્ય ભાઈશ્રી - આ કામ આવશે એવી આશા રાખે છે. પણ આત્માને કેટલો બાંધ્યો ? એમ કરતા આત્માને કેટલો બંધનમાં નાખ્યો? આ સવાલ છે. બીજું પડખું વિચારવું પડશે કે નહિ? બાકી થશે તો ગમે તેટલો પરિચય અને ગમે તેટલો ભાઈએ ન કીધું? કે પ્રસંગે કોણ ઊભા રહેશે કોને ખબર છે? ઓળખાણ તો ઘણાની સાથે છે. પણ જરૂર પડી ત્યારે કોણ ઊભા રહે અને કોણ વયા ગયા છે ત્યારે ખબર પડે). (અહીં સુધી રાખીએ.)
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy