SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૬૫ ૨૧૫ પણ ઘરે લગ્નપ્રસંગ છે ને ? એટલે વળી પાછી કાંઈક પ્રવૃત્તિનો સંબંધ રહેશે એવું લાગે છે. પણ હવે તો એનાથી આરામ મળે તો સારું. ઉપરામ થાય એટલે એમાંથી હવે થાક્યા છીએ, કોક અમને આરામ આપે તો સારું. એમ ચિત્તમાં રહે છે.” બીજી ઉપરામતા હાલ બનવી કઠણ છે, ઓછી સંભવે છે. બીજી એટલે આમ એકદમ સાવ નિવૃત્ત થઈ જઈએ એવું તો કઠણ દેખાય છે. પણ તમારો તથા શ્રી ડુંગર વગેરેનો સમાગમ થાય તો સારું. ત્યાં આવ્યા પછી તમારા લોકોનો સત્સમાગમ રહે એમ ચિત્તમાં રહે છે, માટે શ્રી ડુંગરને તમે જણાવશો અને તેઓ વવાણિયા આવી શકે તેમ કરશો.’ તમે બંને “વવાણિયા' આવજો. કોઈ પણ પ્રકારે વવાણિયા આવવામાં તેમણે કલ્પના કરવી ન ઘટે એવી કલ્પના કરો કે, ભાઈ! અમારે તો કાંઈ સગા-સંબંધી છે નહિ. એમને ત્યાં લગ્નપ્રસંગ છે. અમારે જવાય, ન જવાય એવી કલ્પના કરવી નહિ. હું લખું છું તમતમારે ખુશીથી આવજો. એ તો બધું ચાલ્યા કરશે. લગનની ધમાલ તો જે રીતે ચાલવી હશે તે પ્રમાણે ચાલશે). આપણે સત્સંગ કરશું. એમનો આશ્રય છે કે આપણે એકબીજા સત્સંગમાં રહેશું. એટલે ‘જરૂર આવી શકે તેમ કરશો.” પોતાને ત્યાં પ્રસંગ છે તોપણ મુમુક્ષુઓ સાથેની ગોઠવણ ચાલુ રાખી છે. સત્સંગની ગોઠવણ એમણે ચાલુ રાખી છે. જ્ઞાની છે છતાં સત્સંગ કેટલો પ્રિય છે! એ એમાંથી નીકળે છે. પત્રાંક-૫૬૫ મુંબઈ, ફાગણ સુદ ૧૨, શુક્ર, ૧૯૫૧ જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે. જીવ આ વાત જેટલી વિચારશે તેટલો જ્ઞાનીપુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે. આ. સ્વ. પ્રણામ. પ૬ ૫. લલ્લુજી ઉપરનો પત્ર છે. જે પ્રકારે બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. જીવને દ્રવ્ય અને ભાવે બંને પ્રકારના બંધનથી છૂટાય તે પ્રકારે પ્રવર્તવું, એ હિતકારી કાર્ય છે. વધારે બંધાય, કર્મબંધ વધારે થાય અને ભાવબંધ પણ વધારે થાય, એ પ્રકારે જીવને
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy