SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ રાજહૃદય ભાગ-૧૧ એવું એનું સ્વરૂપ છે. એ પદાર્થોનું, રજકણોનું પણ એવું સ્વરૂપ છે, કે ન સારું લાગે, ન ખરાબ લાગે. જ્ઞાનનું પણ એવું જ સ્વરૂપ છે કે માત્ર જાણે. સાચુ-ખરાબ કરીને જાણે નહિ. ન એને નિંદે, ન એને પ્રશંસે. આપણે નથી કહેતા, ભાઈ ! કે આપણે નિંદા-પ્રશંસા કોઈની કરવી નહિ. નિંદાપ્રશંસા કરીને શા માટે આપણે કોઈની સાથે જોડાવું ? પ્રશંસા કરીને પ્રશંસક તરીકે જોડાવું, નિંદા કરીને નિંદક તરીકે જોડાવું એવું કાંઈ આપણે કરવું નથી. એવું માણસ નથી વિચારતા ? બસ ! આણે નિર્ણય કરી નાખ્યો, કે હું જ્ઞાનમાત્ર છું. તો જ્ઞાનમાત્રમાં કોઈ શેયાકાર પ્રતિભાસો કે ન પ્રતિભાસો. મારે શું લેવાદેવા છે ? પ્રતિભાસો તો સ્વચ્છતાનું કારણ છે, ન પ્રતિભાસો તો મારે કાંઈ જરૂર પણ નથી. જાણવાનો કાંઈ લોભ નથી.. મુમુક્ષુ ઃ– ખાતી વખતે ન ખરાબ લાગે, ન સારું લાગે તો .. ભૂખની તૃપ્તિ થઈ એ નથાય. પૂજ્ય ભાઈશ્રી :– એ પણ સારું જ લાગે ને. ભૂખની તૃપ્તિ થઈ એ સારું જ લાગ્યું ને ? એ સારું લાગ્યું ને ? મુમુક્ષુ :– એમ જ આવે.. પૂજ્ય ભાઈશ્રી :– હવે જ્યારે ભૂખનું વૈદન થયું ત્યારે ખરાબ લાગ્યું હતું. માટે તૃપ્તિ થઈ એટલે સારું લાગ્યું. પણ જ્યારે એ ભૂખનું વેદન આવ્યું ત્યારે શાતા કેમ ન રહ્યો ? જો ત્યારે શાતા રહ્યો હોત તો જમતી વખતે તું જ્ઞાતા જ રહેત. પણ પૂર્વ તૈયારી કરતો નથી. તો ઓલાપણે જ્યાં અનિષ્ટ કર્યું છે ત્યાં ઇષ્ટ થયા વગર નહિ રહે અને ઇષ્ટ કર્યું હશે ત્યાં અનિષ્ટ થયા વગર નહિ રહે. તું ભૂલ પહેલા કરી બેઠો છો. એટલે સારું લાગે છે. એણે Practice તો સતત કરવી જોઈએ ને. એ પણ એક ઉદય છે. ભૂખ લાગે છે એ પણ એક ઉદય છે અને આહાર લે છે એ પણ એક બીજો ઉદય જ છે, બીજું કાંઈ નથી. તમામ ઉદયમાં પોતે જ્ઞાતાદૃષ્ટા રહે, આ એણે પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાતાભાવે રહી જવું એ સમપરિણામે ઉદયને વેદવાનો પ્રકાર છે, તે સમપરિણામે ઉદયને વેદવાની રીત છે. એ રીતનો જ્ઞાની આશ્રય કરે છે, એ રીત મુમુક્ષુએ પણ શરૂ કરવાની છે એનો પ્રયત્ન કરશે તો સફળ થશે. પ્રયત્ન નહિ કરે તો કેવી રીતે સફળ થશે ? મુમુક્ષુઃ–અભ્યાસ થતો જ નથી. પૂજ્ય ભાઈશ્રી :– અભ્યાસ થતો નથી કેમકે એને કરવાની એટલી તાલાવેલી નથી. જેટલી એને બીજા કાર્યની જરૂરત લાગે છે એટલી એને આ કાર્યની જરૂરત લાગી
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy