SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ પત્રાંક-પપ૮ ચિત્તમાં એટલે એનું વારંવાર એ જ વિચાર આવ્યા કરે છે કે કઈ રીતે આમાંથી છૂટવું? કઈ રીતે આમાંથી હું છૂટી જાઉં. તેમ ચિત્તમાં બીજાને બોધ કરવા યોગ્ય એટલી મારી યોગ્યતા હાલ મને લાગતી નથી;” તેમ અત્યારે હું બીજાને ઉપદેશ આપે એવું પણ મને લાગતું નથી. ઉપદેશ આપવા માટે તો દીક્ષા લઈને નિગ્રંથદશામાં આવ્યા પછી ઉપદેશ આપવો. આ સ્થિતિમાં તો એકલું આત્મસાધન કરવું, બીજું કાંઈ કરવું નહિ. આગળ વધ્યા પછી જુદી વાત છે પણ અત્યારે તો ઉપદેશ આપવા જેવીમને યોગ્યતા લાગતી નથી. કેમકે જ્યાં સુધી સર્વ પ્રકારના વિષમ સ્થાનકોમાં સમવૃત્તિ ન થાયસંસારની અંદર રાગ અને દ્વેષના બે પ્રકારે નિમિત્ત હોય છે. એ સ્થાનોમાં, એપ્રસંગોમાં સમવૃત્તિ ન થાય (અર્થાત) માત્ર જેને સમતાભાવ કહેવાય, જ્ઞાતાભાવ કહેવાય, અવિષમ પરિણામ કહેવાય, એવી પરિસ્થિતિ જે મુનિદશામાં હોય છે, એવી સ્થિતિ ન થાય ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી...” અથવા યથાર્થ અને સાધના કહેવામાં આવતી નથી. જેટલો રાગ-દ્વેષ રહી ગયો તે સાધનાની ખામી છે, તે સાધના નથી. અને જ્યાં સુધી એ પ્રકારના મારા પરિણામ અત્યારે વર્તે છે ત્યાં સુધી મારે કોઈને ઉપદેશ આપવો એ વાત મને યોગ્ય લાગતી નથી. કેમકે સામાને એ વાત ખ્યાલમાં આવવાની છે. સ્થૂળ બુદ્ધિથી પણ ખ્યાલમાં આવે છે કે એ તો વીતરાગ થવાનો ઉપદેશ આપે છે પણ પોતે તો રાગ-દ્વેષ કરે છે. અમે એને રાગ કરતા પણ જોયા છે, અમે એને દ્વેષ કરતા પણ જોયા છે, અમે એને મોહ કરતા પણ જોયા છે. આ તો રાગી, દ્વેષી, મોહી બધા પરિણામ નજરે દેખાય છે. બધો પ્રસંગ પણ નજરે દેખાય છે. અને પાછા ઉપદેશ આપે છે કે પરિપૂર્ણ વીતરાગ થવું જોઈએ. કેવા વીતરાગ થવું જોઈએ? પરિપૂર્ણ વીતરાગ થવું જોઈએ. માટે અમને એમ લાગે છે કે અત્યારે ઉપદેશ આપવો એ સામાને એકવિરાધક પરિસ્થિતિમાં મૂકવા જેવું થઈ જશે, શંકામાં મૂકવા જેવું થઈ જશે અથવા વિરોધાભાસી દેખાવની અંદર એ પરિસ્થિતિ ઊભી થાય તે ઇચ્છવા જેવી નથી. વિરોધાભાસી દેખાવ થાયતે ઇચ્છનીય નથી. એ દૃષ્ટિએ એ લખે છે. : ‘ત્યાં સુધી યથાર્થ આત્મજ્ઞાન કહ્યું જતું નથી... આત્મજ્ઞાન તો વર્તે છે પણ અહીં સાધનાના સ્થાનમાં એ શબ્દને એ વાપરે છે. જુદી જુદી જગ્યાએ જે રીતે વાપર્યો છે. અને જ્યાં સુધી તેમ હોયએટલે જ્યાં સુધી સાંસારિક રાગ-દ્વેષ હોય ત્યાં સુધી તો નિજ અભ્યાસની...' એટલે નિજપુરુષાર્થની રક્ષા કરવી ઘટેછે,... આત્મામાં અંતર્મુખ થવા માટે જે પુરુષાર્થનો વારંવાર પ્રયત્ન-અભ્યાસ કરવો જોઈએ એની રક્ષા એટલે એ
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy