SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પત્રાંક-પેપર સાયણ સ્ટેશને ઊતરીકઠોર અવાય છે. વચમાં એક “સાયણ સ્ટેશન છે. મેઈન લાઈન ઉપર જ છે). પછી ત્યાંથી અંદરના ભાગમાં કઠોર જવાય છે. અને તે લાંબો રસ્તો નથી ત્યાંથી બહુ દૂર નથી. જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્યનથી. કે ત્યાં તમારે કોઈ વાહનની વ્યવસ્થા કરવી પડે. અમે ચાલીને વયા જશું. થોડું ઘણું બેચાર-પાંચ માઈલ હશે તો કાંઈ વાહનની વ્યવસ્થા કરવાની તમારે જરૂર નથી. અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે.” એ એને કહી દેશું. તમે કાંઈ એબાબતમાં તજવીજમાં ઉતરતા નહિ. કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવા વિષે જણાવવાનું કારણ નથી;” ત્યાંના જે જૈનો હોય એને પણ અમે આવવાના છીએ એ વાત જણાવશો નહિ. “તેમ ઊતરવાના ઠેકાણા માટે કંઈ ગોઠવણ કરવા વિષે તેમને જણાવવાનું કારણ નથી.' કે કોને ક્યાં ઉતારવા છે માટે પણ ત્યાં જઈને વ્યવસ્થા કરવી, કે ભાઈ તમારામાંથી કોનું સારું મકાન છે, જ્યાં એકાંત રહેશે, એ કાંઈ તમારે કરવાની જરૂર નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. એને માટે જે કુદરતી બનવું હશે એ બનશે. અમને અનુકૂળતા-પ્રતિકૂળતાની મુખ્ય વાત નથી, કે જેને લઈને તમે અત્યારથી માથાકૂટ કરો.એ કોઈ જરૂરી નથી. જે હશે એ અમારે ચાલશે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે. પણ તેમના આવવા વિષેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે..... પણ એમના આવવાનું આગળથી ત્યાંના કોઈમાણસોને ખબર ન પડવી જોઈએ. સુરતમાં ખબર ન આપશો, “સાયણમાં પણ ખબર ન આપશો, કઠોરમાં પણ ખબર ન આપશો. ત્રણે ગામમાં તમે ખબર નહિ આપતા. તે અમને ઠીક લાગે છે, કેમકે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય.” ઘણા માણસોને ખબર પડે, ઘણા માણસો ભેગા થાય પછી જેને જે તુક્કો આવે એ પછી પ્રશ્ન વહેતો મૂકી દે. આગળ-પાછળ એને કાંઈ સંધિ હોય નહિ, એની કાંઈ ખબર હોય નહિ. વિષય શું ચાલે છે? વિષયની ગંભીરતા શું છે? કાંઈ ખબર ન હોય. એ પોતાની ભૂમિકા પ્રમાણે, પોતાના વિચાર પ્રમાણે તુક્કા ઉઠાવે રાખે. એટલે સાંભળનાર અને કહેનાર બંનેને વિષય જ આખો બીજો ઊભો થઈ જાય એ વખતે. અમારી અત્રે સ્થિરતા છે. એક તો નિવૃત્તિ માંડમાંડ મળતી હોય. માંડ પાંચપંદર દિ એકાંતમાં જાતા હોય એમાં બીજા ડખા ક્યાં ઊભા કરવા, એમ કહે છે. અમારી અત્રે સ્થિરતા છે, ત્યાં સુધીમાં બને તો પત્ર પ્રશ્નાદિ લખશો. સાધુ શ્રી
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy