SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ રાજહૃદય ભાગ-૧૧ આવે તો. વળી પાછો બે ઇન્દ્રિય થઈને નિગોદમાં ચાલ્યો જાય. વળી પાછો એ પાંચ પરાવર્તનનાં અઢી ગુણા થાય પછી નીકળે. કે જેના અસંખ્ય ભાગમાં અસંખ્ય ચોવીસીઓ આવી જાય છે. એટલો બધો કાળ બતાવે છે. જીવ જો ન ચેતે, આ મનુષ્યપણાનું મૂલ્યન સમજે અને સંસારની ક્ષુદ્રપ્રવૃત્તિમાં આત્માનુંન કરે, કેમકે એ તો માહાસ્ય આપે ત્યારે વળગ્યો રહે છે. એની મહત્તાથી વળગ્યો રહે છે... પરિણામમાં આવે જીવ તીર્થકરની વાત જુદી છે. સમર્થ પુરુષ છે. સંસારની પ્રવૃત્તિમાં થોડો ટાઈમ રહ્યા છે. એમની વાત જુદી છે. બાકી અમારા જેવાનું ગજું દેખાતું નથી. એકાવતારી છે તો આવી વાત કરે છે. સામાન્ય મુમુક્ષુએ શું જોઈને પ્રવૃત્તિમાં વળગ્યા રહેવું? એમ કહે છે. એટલે એને તો નિશ્ચય થવો કે આત્મસ્વસ્થતા થવી કે પ્રવૃત્તિ કરતા કરતા કલ્યાણનો વિચાર કરવો એ સમજણવાળી વાત નથી, ગેરસમજણવાળી વાત છે, અણસમજણની વાત છે. એ રીતે કોઈ આત્મકલ્યાણ થતું નથી. એ જ વિનંતી.' પપ૧મો પત્ર પૂરો થયો. પત્રાંક-પપર મુંબઈ, માગશર, ૧૯૫૧ ઉપકારશીલશ્રી સોભાગ પ્રત્યે શ્રી સાયલા. ઈશ્વરેચ્છા બળવાન છે, અને કાળનું પણ દુષમપણું છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્ગદષ્ટિ મટી સંસારાર્થ દૃષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દૃષ્ટિથયે ફરી સુલભબોધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી કોઈ પણ જીવ સકામપણે સમાગમન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું.તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અને કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદશની પેઠે તત્કાળ તેનું પ્રહવું કોઈ પ્રારબ્ધયોગથી ન થતું. અમે જ્યારે તે વિષે કંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે, એવા પ્રકારાદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તો તેનો સ્વપ્ન પણ
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy