SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ રાજહૃદય ભાગ–૧૧ પૂજ્ય ભાઈશ્રી – એ આર્તધ્યાન જ છે, એ આર્તધ્યાન છે. કેમકે પોતાને યોગ જોઈએ છે. પોતાને વિયોગ છે ને? મુમુક્ષુ - ઓલી બાજુ... છે અને આ દ્વેષ છે તો આમ તો એક જ પરિણામ થયા ને? પૂજ્ય ભાઈશ્રી:- તીવ્ર થાય તો રૌદ્રધ્યાન થાય. તીવ્ર પ્રકારના થાય, એમાં બહુ તીવ્રતા થાય તો પછી એક હદે આર્તધ્યાન પૂરું થઈને રૌદ્રધ્યાનમાં પ્રવેશ થઈ જાય. પણ તીવ્ર... એમાં શું થાય છે કે એને દ્વેષથી વિચાર આવે છે. મારી નાખીને લઈ ગયો, લૂંટીને લઈ ગયો, ગમે તેમ કરીને લઈ ગયો એવા બધા પછી તીવ્ર પરિણામ થાય ત્યારે પછી કાંઈ ઠેકાણું રહે નહિ. ત્યારે રૌદ્રધ્યાન થઈ જાય. મુમુક્ષુ -આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે? પૂજ્ય ભાઈશ્રી:- હા. આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે. રૌદ્રધ્યાન નરકગતિનું કારણ છે. મુખ્યપણે હવે પોતાની અંગત વાત કરે છે. ત્રણ વર્ષના ઉપાધિ યોગથી ઉત્પન થયો એવો વિક્ષેપભાવ તે મટાડવાનો વિચાર વર્તે છે. ત્રણ વર્ષ સુધી અહીંયાં સતત વેપારની પ્રવૃત્તિમાં રહેવું પડ્યું છે. તેનાથી પોતાના આત્માને વિષે ઘણો વિક્ષેપ વર્તે છે. પોતાને ધર્મધ્યાન છે, પણ એ સાથે સાથે જે આર્તધ્યાનના વ્યાપારના પરિણામ રહ્યા છે એની અરુચિ કેટલી છે, એનો નિષેધ કેટલો છે કે એ વિક્ષેપ થઈ ગયો છે. પોતે એકાંતે અંતર્મુખ ઉપયોગમાં રહે એમ થાય છે. એ એમનો અભિપ્રાય છે. એમાં વ્યાપાર કરવો પડે છે એ વિક્ષેપ પહોંચાડે છે. પોતાની સાધનામાં એવિક્ષેપ પહોંચાડે છે. એવો વિક્ષેપભાવને મટાડવાનો વિચારવર્તે છે. કે હવે આ પ્રવૃત્તિ છોડીને કાંઈક નિવૃત્તિ સ્થળમાં આવી કલ્પના કરીને કરવું નથી. પદાર્થનો સાક્ષાત્ અનુભવ કરીને કહ્યું છે. સ્વાનુભવની વાત કરી એ કેવી રીતે કરી ? કે સાક્ષાત્પણે, પ્રત્યક્ષપણે પોતાના સ્વરૂપનો અનુભવ કરીને એ નિરૂપણ કર્યું છે. એવું નિરૂપણ એ સ્વાનુભવ સંબંધિત નિરૂપણ સર્વ મુમુક્ષુજી પરમ કલ્યાણને અર્થે નિશ્ચયથી વિચારવા યોગ્ય છે. એ વાત પોતાના આત્મહિતના દૃષ્ટિકોણથી મુમુક્ષુ જીવે ખાસ કરીને, નિશ્ચય કરીને એટલે ખાસ કિરીને મુખ્યપણે વિચારવા યોગ્ય છે. આમ કહીને શું કહ્યું? જૈનશાસ્ત્રોમાં સ્વાનુભવની વાતો આવે છે, બીજી પણ ઘણી વાતો આવે છે. ચારે અનુયોગમાં વિસ્તાર ઘણો છે-કથનનો વિસ્તાર ઘણો છે. એમાં ખાસ કરીને જે આત્મઅનુભવ માટે વિશેષ કરીને વિચારવા યોગ્ય છે, વિશેષ કરીને એના ઉપર
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy