SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ રાજહૃદય ભાગ-૧૧ કર્યા વિના જેને રહેવું હોય એ રહે અને ન રહેવું હોય ઈ ન રહે, તો એ મોટી ભૂલમાં છે. ક્યાં બેસીને વિચાર કરવો છે?કયા દૃષ્ટિકોણથી આ વિચાર કરવો છે? એક વાત ઊભી થાય એને તો ઘણા દૃષ્ટિકોણથી વિચારવી પડે. કોઈ એકાંત વાત કરવી ન જોઈએ. અહીંયાં તો જ્ઞાનીપુરુષ પોતે કહે છે, કે “અમારા ચિત્તમાં એવો વિચાર રહે છે કે, જ્યાં સુધી અમારે પરિગ્રહાદિનું લેવું દેવું થાય અને વ્યવહારમાં બેઠા છીએ, પરિગ્રહ ભેગો થાય છે, લેણદેણ એ વ્યવહારિક જે લૌકિક લેણદેણમાં ઊભા છીએ, એવો વહેવાર ઉદયમાં હોય ત્યાં સુધી જાતે તે કાર્ય કરવું.... અમારું કાર્ય અમારે જાતે કરવું. અથવા વહેવારિક સંબંધી દ્વારાદિથી કરવું, પણ તે સંબંધી મુમુક્ષુ પુરુષને તો પરિશ્રમ આપીને ન કરવું. આ ન્યાય છે એની અંદર. એમને નુકસાન થાય એવું નથી તો પણ આમ વિચારે છે. કેમકે મારું અનુકરણ બીજા કરશે. બીજા મુમુક્ષુ પુરુષને પરિશ્રમ આપીને કરાવતા એવી અપેક્ષાબુદ્ધિથી નુકસાન શું થાય છે ? કે “જીવને મલિન વાસના તેવા કારણે ઉદ્દભવ થવી સંભવે;” એટલે એ અપેક્ષાવૃત્તિ એને રહ્યા જ કરે. પછી એક જગ્યાએથી અપેક્ષાવૃત્તિ રહે, એ કેટલી જગ્યાએથી અપેક્ષાવૃત્તિ ઊભી થશે એનો નિયમ પછી નહિ રહે પછી નહિ રહે. એટલે એ બાબતની અંદર પોતે બહુ સ્પષ્ટ અને બહુ ચોક્કસ હોવા જોઈએ. નહિતર મલિન વાસના તેવા કારણે ઉદ્દભવ થવી સંભવે;” મલિન વાસના એટલે બીજા પાસેથી માગવાની, મેળવવાની અપેક્ષાવૃત્તિ છે એ ઘર કરી જશે. કદાપિ અમારું ચિત્ત શુદ્ધ જ રહે એવું છેઅમારો અમને ખ્યાલ છે કે કદાચ કોઈને અમે કામ સોંપીએ, કોઈ અમારું કામ કરી જાય તો અમારા ચિત્તમાં મલિનતા ન થાય એવી અમારી યોગ્યતા થઈ છે તથાપિ... તોપણ “કાળ એવો છે કે બધો ખ્યાલ છે કાળ એવો છે કે, જો અમે તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ. દ્રવ્યથી એટલે ભાવથી નહિ ભાવથી તો શુદ્ધિ જ રાખી છે, પણ દ્રવ્યથી અમારે શુદ્ધિ રાખવી છે. ભાવે શુદ્ધિ છે, વ્યવહારશુદ્ધિ પણ અમે રાખવા માગીએ છીએ. દ્રવ્યથી એટલે વ્યવહાર ભાવે અને દ્રવ્યું. “તે શુદ્ધિને દ્રવ્યથી પણ રાખીએ તો સામા જીવને વિષમતા ઉભવ ન થાય;... તો અમારો વ્યવહાર જોઈને કોઈને વિકલ્પનઊઠે,તર્કન ઊઠે, વિષમતાન થાય, અનુકરણ એવુંનકરે. બધો કેટલો વિશાળવિચાર કર્યો છે. મુમુક્ષુ – ૨૮૭ના બીજા પેરેગ્રાફનો જવાબ. પૂજ્ય ભાઈશ્રી :- આ પેટામાં આવી જાય છે. જવાબના એક પેટામાં આવી જાય છે, કે એ પોતે એવું વર્તન કરે, કે કોઈ વ્યવહારિક કાર્ય અને લેણદેણનો પ્રસંગ ન રાખે.
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy