SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ રાજહૃદય ભાગ-૫ તે યોગ્ય માન્યું છે. એની અંદર બીજો ઉપાય નથી. ઉદયને ફેરવી શકાય એવું નથી અને બીજો એમાં કોઈ ઉપાય નથી. ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું. યથાયોગ્ય રહેવા ઇશ્યા જ કરવું એ ઉપદેશ છે. એટલે કે ગમે તેવી તમારી સંયોગની પરિસ્થિતિ હોય તોપણ યોગ્ય રહેવું અને યોગ્ય રહેવા માટેનો અભિપ્રાય રાખવો એ જ ઉપદેશ છે. યથાયોગ્ય રહેવું...યથાયોગ્ય રહેવું એટલે શું ? કે પરિણામ બગડે નહિ અને પારમાર્થિક દિશામાં પરિણામ આગળ વધ્યા કરે, એનું નામ યથાયોગ્ય રહેવું. પરિસ્થિતિ ગમે તે હોય, એ પૂર્વકર્મ અનુસાર છે. અનુકૂળતાની પરિસ્થિત હોય તો છકી જેવા જેવું નથી કે અનુકૂળતાનો રસ ચડી જાય એવા પરિણામ બિલકુલ થવા ન જોઈએ. તેમ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, બન્ને શુભાશુભ કર્મનો ઉદય છે બીજું કાંઈ નથી, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, અશુભ કર્મનો ઉદય આવે, આપણા જ કરેલા કર્મનો ઉદય છે, તો એમાં ખેદ પામવા જેવું નથી. ન રાગરસ ચડવો જોઈએ. ન Àષનો રસ ચડવો જોઈએ. અને તો જ તમને આત્મરસ, ચૈતન્યરસ, વીતરાગરસ ચડી શકે. જેને ઘણો રાગરસ ચડે કે જેને ઘણો દ્વેષરસ ચડે એને આત્મરસ ચડવાનો અવકાશ નથી. કેમકે એ એક એવા રંગ છે કે જેના ઉપર બીજો રંગ ન ચડે. એક ઘાટો રંગ હોય એના ઉપર બીજો રંગ ન ચડે. આછો-પાતળો રંગ હોય એના ઉપર બીજો રંગ ચડે. એમ કદાપિ ક્યારે પણ કોઈપણ પરિસ્થિતિમાં, ગમે તેવા દેશકાળ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં રાગનો રસ કે દ્વેષનો રસ એ રાગ-દ્વેષના રંગે રંગાવા જેવું નથી. આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે અને એ જ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી.' જોયું! કેવું લખ્યું છે ! તમારી યોગ્યતાનો બહુ ખ્યાલ છે ને, એટલે તમારા મનની ચિંતા તમે લખી જણાવો છો. એ તો બહુ સરળ હતા ને ! એટલે છુપાવતા નહોતા. એ એમનો ગુણ જોતા હતા. અવગુણ એમાં નહોતા જોતા. એમાં એ એમનો ગુણ જોતા હતા કે જુઓ ! કાંઈ છુપાવતા નથી. જેના પરિણામ છે એવા પરિણામ લખે છે. એટલે “મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy