SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ પાક ૩૦૩ મુમુક્ષુ ઃ પૂજ્ય ભાઈશ્રી :- એ તો સમાધાન રાખે કે જે પરિસ્થિતિ છે એ તો પૂર્વકર્મને હિસાબે છે. વર્તમાન તો મારે એક જ કાર્ય કરવા જેવું છે. એમાં સુખ નથી, એમાં દુઃખ નથી. જે પરિસ્થિતિ કોઈની છે એમાં પરિસ્થિતિ પોતે સુખ-દુઃખ છે નહિ. પોતાને જે કાંઈ પરમાર્થની ક્ષતિ છે એના પૂરતું એની ઉપર જ એને વિશેષ લક્ષ હોવું જોઈએ. સંયોગ-વિયોગ ઉપર નહિ. શ્રી..' કરીને એ કાગળ પૂરો કરી નાખ્યો. ... પત્રાંક ૩૭૩ મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી...ના યથા. - ૪૮૭ મનને લઈને આ બધું છે' એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ મન”, તેને લઈને’, અને આ બધું' અને તેનો નિર્ણય’, એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે.
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy