SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ચજહૃદય ભાગ-૫ પછી આ તમે મૂકી લ્યો. મુમુક્ષુ - એમના પ્રશ્ન ઉપરથી આ તારણ કાઢ્યું હશે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો બહુ વિચક્ષણ હતા ! ઘણા વિચક્ષણ હતા !! થોડી વાતમાં ઘણું પકડી લે. એ તો પુરુષને તો એવી સૂક્ષ્મ દૃષ્ટિ હોય જ છે. જેણે સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરી લીધો અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગાંશનેવિકલ્પાંશને–અંદરમાં ભિન્ન રાખી દીધો એટલું કામ અંદર કર્યું છે. આ તો બધા સ્થૂળ પરિણામ છે. બહારના જે બધા પરિણામ છે એ તો સ્થૂળ પરિણામ છે તે ન સમજે એવું કાંઈ નથી. મુમુક્ષુ - એમ કહીને સીધો આદેશ આપી દીધો.. પૂજ્ય ભાઈશ્રી :- સીધી વાત છે, સમજે તો સીધી વાત છે. મુમુક્ષુ :- મોરબીથી જવા પહેલા વવાણિયાથી લખે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, અત્યારે એ “વવાણિયા' થી જ લખે છે. આગળથી સૂચના આપી છે. હવે “મોરબી’ આવશે ને. પત્રાંક-૩૦૫ વિવાણિયા, કારતક વદ ૧, ૧૯૪૮ ધર્મવાસી છે જેઓ, તેમને સમ્યકજ્ઞાનની હજી જો કે પ્રાપ્તિ જ નથી, તથાપિ માગનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ રીતભાત કે નિવસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, જે છે તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત છે આદિ'. તેમની મન, વચન, કાયાની અનુસરણા સરળતા માટે
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy