SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ચજહૃદય ભાગ-૫ પત્રક - ૩૫૪ મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, રવિ, ૧૯૪૮ સમક્તિની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય? એ વિષેનો અનુભવ કરીને લખશો. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. ૩૫૪. સોભાગભાઈ ઉપરનો પત્ર છે. બે પ્રશ્ન કર્યા છે. સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય ? એ વિષેનો અનુભવ કરીને લખશો. લ્યો, ઠીક ! હવે “સોભાગભાઈનો સમ્યફદર્શન ઉપર વિષય શરૂ કર્યો છે. કે “સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય ? ફરસના એટલે સ્પર્શના. કાઠિયાવાડી ભાષામાં એને ફરસના કહે છે, સ્પર્શના. સ્પર્શવું એટલે પ્રાપ્ત થયું. સ્પર્શવું એટલે અડીને મૂકી દેવું એમ નહિ. સ્પર્શવું એટલે પ્રાપ્ત થયું. સમ્યકત્વ પ્રાપ્ત થયું ક્યારે ગણાય ? અને જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે કેવી દશા વર્તતી હોય ? “એ વિષેનો અનુભવ કરીને લખશો.” “સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું...” મુમુક્ષુ :- અનુભવ કરીને લખજો એમ કહ્યું. પૂજ્ય ભાઈશ્રી – ફલાણું પુસ્તક વાંચીને જવાબ લખજો એમ નથી કહ્યું. અનુભવ કરીને લખજો. મુમુક્ષુ :- “શ્રીમદ્જી ની પદ્ધતિ એવી છે કે સામાને કામે લગાડી દેવા. પૂજ્ય ભાઈશ્રી :- હા. પદ્ધતિ અનુભવ પદ્ધતિ છે. શ્રીમદ્જી'ની અને દીપચંદજી “અનુભવપ્રકાશ', બન્નેની) કથન પદ્ધતિ એકદમ અનુભવ પ્રધાન છે. એવું રાજમલજીની કથનપદ્ધતિમાં અનુભવ પ્રધાનતા ઘણી છે.
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy