SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- ઈ ટેવ પડી છે. મુમુક્ષુ ઃ— પોતે સફ્ળ ન થાય ત્યારે બીજા... પૂજ્ય ભાઈશ્રી :- દોષદૃષ્ટિ છે ને. ગુણદૃષ્ટિ નથી પણ દોષદૃષ્ટિ છે, તો દોષદૃષ્ટિમાં હંમેશા એવું જ બને કે બીજાના દોષની મુખ્યતા કરવી. એટલે એ એમના બનેવીને કોઈ પ્રસંગવશ એ પ્રકારે ન્યાય આપ્યો છે. ટાઇમ થઈ ગયો છે, અહીં સુધી રાખીએ. ... ૫૨મ વિવેકથી વિચારવા યોગ્ય છે કે ઃ આ જીવ સ્વરૂપની સાવધાની છોડીને, પરમાં સાવધાન થઈને પરિણમે છે. ત્યાં અભિપ્રાય દુ:ખી ન થવાનો, એટલે કે સુખી થવાનો હોવા છતાં દુઃખ અનિવાર્ય છે. અને આવી પરમાં સાવધાની સ્વયં જ તત્કાળ) દુઃખરૂપ છે; અને ભાવી દુઃખનું પણ કારણ છે. તેથી સુખી થવાતું જ નથી; પણ ભ્રમણાથી મિથ્યા / વિપરીત પુરુષાર્થ થયા કરે છે. તેથી તેવા વ્યર્થ પરિણામ - પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થતા જાણીને, જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને, સમભાવે, સાક્ષીભાવે, પોતાનું ભિન્નપણું જ્ઞાનનિષ્ઠ થઈને, સંભાળીને, જિનપરિણામના પુરુષાર્થમાં રહેવું, તે પરમ વિવેક છે, અને તેમ વર્તતા કદાચ પ્રારબ્ધની કઠણાઈ” ઊભી થાય તો તે ખરેખર કઠણાઈ નહિ રહે, પરંતુ પારમાર્થિક લાભનું એક સુંદર, સ્વચ્છ, નિમિત્ત બની રહેશે, જેનું પરમ વિવેક, આનંદ અને સમભાવી સ્વાગત કરવા, ક્યારનોય અગાઉથી જ ઊભો છે. તેથી હે જીવ ! જરાપણ ક્ષોભ વિના તું, સર્વ ઉદયથી ઉદાસીન - ઉપેક્ષિત થઈને, સ્વરૂપના ઉદ્યમમાં, પૂરી શક્તિથી લાગી રહે ! જ્ઞાનીપુરુષોએ તો મિથ્યાત્વમોહની કરતાં તમતમ પ્રભા' અને ૌરવ નરકને સંમત કર્યા છે. તો તારે પરમાર્થની પ્રાપ્તિ કરાવનારી કઠણાઈ સંમત કરવામાં જરાપણ મૂંઝાવા જેવું શું છે ? (અનુભવ સંજીવની–૬૨૪)
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy