SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ચજહૃદય ભાગ-૫ કરવી એનું નામ પ્રયોગ છે, અને એ એક જ સાધન છે, એ એક જ વિધિ છે. કાર્યની યથાર્થ વિધિને વિચારવામાં આવે કે જે વિધિથી પોતાને સફળતા મળે જ મળે નિષ્ફળ જાય જ નહિ એ આ વિધિ છે કે પોતે જે કાંઈ સમજ્યો છે એને પોતાના ઉદયમાં લાગુ કરવી કે હું ભિન્નતા સમજ્યો છું, આમાં મમત્વ થાય છે કેવી રીતે ? મારાપણું, મારું અસ્તિત્વ ક્યાં છે કે મને મમત્વ થાય છે ? શોધ, ખોળે પોતાના અસ્તિત્વને, ગોતે એમાંથી. જો અસ્તિત્વ નથી તો આ મમત્વની કલ્પના કેમ ઊભી થઈ ? એ તો રસ ઠંડો થયા વગર રહેશે નહિ. આટલી શોધખોળમાં જશો ને તોપણ એનો રસ એકદમ નીરસ થવા મંડશે. અને પ્રયોગ કરી જોવો, સવાલનો જવાબ મળી જશે. એ સીધી વાત છે. બાકી જો એમ ન કરી શકે તો ગમે તેટલી શાસ્ત્ર અને પોથી વાંચ્યા કરે કે સાંભળ્યા કરે, “કથા સુણી સુણી ફૂટ્યા કાન' જેવું થાય. માયાની રચના ગહન છે. અને એ લોકોને કહેવું પડે કે ભાઈ ! બધું ગમે તે કરીએ પણ આ માયા એવી છે ને... માયા એટલે તારા પરિણામ, ઉદયમાં એકત્વબુદ્ધિના મમત્વના, પોતાપણાના જે તીવ્ર પરિણામ છે એ જ માયા છે. માયા કોઈ બીજી ચીજ નથી, કોઈ ઈશ્વરના ઘરની ચીજ નથી. પણ જીવને પોતાને સાવધાન થવાની જરૂર છે. અહીં સુધી રાખીએ.
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy